કાશ્મીરી આતંકવાદી ખાલિદ રઝાની હુમલાખોરોએ કરી હત્યા, ઘરની બહાર જ ગોળી મારી કર્યો ઠાર

ખાલિદ મૃત્યુ પહેલા જ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (SRA) એ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી લીધી છે.

કાશ્મીરી આતંકવાદી ખાલિદ રઝાની હુમલાખોરોએ કરી હત્યા, ઘરની બહાર જ ગોળી મારી કર્યો ઠાર
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 3:18 PM

કાશ્મીરના આતંકવાદી સંગઠન અલ-બદરના કમાન્ડર સૈયદ ખાલિદ રઝાનું સોમવારે પાકિસ્તાનના કરાચીમાં મોત થયું હતું. અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખાલિદ મૃત્યુ પહેલા જ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (SRA) એ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી લીધી છે.

આ પણ વાચો: Global Terrorist: ભારતના દુશ્મનોને પાકિસ્તાનમાં આશરો, જાણો ભારતના આતંકવાદીઓ વિશે જે પાકિસ્તાનમાં ફરે છે ખુલ્લેઆમ

અહેવાલો અનુસાર, હુમલાખોરોએ ખાલિદ રઝાને તેના ઘરની બહાર ગોળી મારી તેની હત્યા કરી હતી. ખાલિદ રજા કાશ્મીરમાં આતંકી કમાન્ડર રહી ચુક્યો છે. તે પછી તે કરાચી ગયો. અહીં તે ફેડરેશન ઓફ પ્રાઈવેટ સ્કૂલના વાઇસ ચેરમેન બન્યો હતો. સૈયદ ખાલિદ રઝા એક અઠવાડિયામાં માર્યો ગયેલો બીજો મોટો આતંકવાદી છે. ગયા અઠવાડિયે હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર બશીર અહેમદ પીર પણ માર્યો ગયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોણ હતો લશ્કર કમાન્ડર બશીર અહેમદ?

બશીર અહમદ પીર ભૂતપૂર્વ આતંકવાદીઓને હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા જેવા ફ્રન્ટ સંગઠનો સાથે જોડવા માટે ઘણી ઓનલાઈન પ્રવૃત્તિઓમાં સામેલ હતો. આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ તેને ગયા વર્ષે 4 ઓક્ટોબરે આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

બશીર ગયા અઠવાડિયે ગુરુવારે નમાજ પઢવા માટે તેના ઘરની નજીકની મસ્જિદમાં ગયો હતો. મસ્જિદમાંથી બહાર આવીને તે એક દુકાન પાસે ઉભો રહ્યો. આ દરમિયાન બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને બશીરને ગોળી મારીને હત્યા કરી હતી.

બશીર અહેમદ ઈમ્તિયાઝ આલમ તરીકે પણ ઓળખાતા હતો. જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં તેનો હાથ હતો. તે જમ્મુ-કાશ્મીરમાં હાજી, પીર અને ઈમ્તિયાઝના કોડ નામથી આતંકવાદી ઘટનાઓને અંજામ આપતો હતો. બશીર છેલ્લા કેટલાક સમયથી રાવલપિંડીમાં રહેતો હતો. પાકિસ્તાન સરકારે તેમને તેમના દેશની નાગરિકતા આપી હતી.

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. પાકિસ્તાનના 10 આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસ્યા હતા. આતંકવાદીઓએ રેલ્વે સ્ટેશન, હોટલ, બાર, તાજ હોટલ, ઓબેરોય હોટલ જેવા સ્થળોએ ગોળીઓ ચલાવી હતી. મૃત્યુનો આ તાંડવ મુંબઈની સડકો પર 60 કલાક સુધી ચાલ્યો હતો. આ હુમલાઓમાં 166 લોકો માર્યા ગયા હતા. એન્કાઉન્ટરમાં 9 આતંકીઓ માર્યા ગયા હતા. એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હાફિઝ સઈદ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">