AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ અજય કુમાર લલ્લુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યુ રાજીનામુ

અજય કુમાર લલ્લુએ ટ્વીટ કરીને લખ્યું કે,'વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) કોંગ્રેસ પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને હું ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું.

Uttar Pradesh: વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ અજય કુમાર લલ્લુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યુ રાજીનામુ
Ajay kumar lallu resigned from Congress Party
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:27 AM
Share

Uttar Pradesh:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની(Congress Party)  કારમી હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારતા રાજ્ય પાર્ટી અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ(Ajay Kumar Lallu)  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લલ્લુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર મોકલીને પોતાનું રાજીનામું આપ્યુ છે.સાથે જ તેણે રાત્રે ટ્વિટર પર આ પત્ર શેર કરીને આ અંગે માહિતી આપી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું કે,’વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) કોંગ્રેસ પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને હું ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું. મારા જેવા સામાન્ય કાર્યકરમાં વિશ્વાસ રાખવા બદલ ટોચના નેતૃત્વનો આભાર.એક કાર્યકર્તા તરીકે હું સામાન્ય માણસના અધિકારો માટે લડતો રહીશ.

નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ અધ્યક્ષે આપ્યુ રાજીનામુ

ગાંધીને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે,ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય કુમાર લલ્લુ,જણાવવા માંગુ છું કે રાજ્યમાં ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓએ આ ચૂંટણીમાં પાર્ટી માટે ખૂબ જ મહેનત અને ખંતથી કામ કર્યું હતું અને સાથે સાથે સંગઠનને ગામડાના સ્તરે લઈ ગયા હતા.પરંતુ આ હારની નૈતિક જવાબદારી સ્વીકારતા આ ચૂંટણીમાં અમારે અણધારી હારનો સામનો કરવો પડ્યો હતો.જેથી હું મારા પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું.

અજય કુમાર લલ્લુ પોતે ચૂંટણી હારી ગયા

સાત તબક્કામાં યોજાયેલી UP વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી 10 માર્ચે થઈ હતી અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર બે બેઠકો જીતી છે. છેલ્લી 17મી વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા આરાધના મિશ્રાએ પ્રતાપગઢ જિલ્લાની તેમની પરંપરાગત રામપુર ખાસ બેઠક પરથી ચૂંટણી જીતી હતી, જ્યારે વીરેન્દ્ર ચૌધરી મહારાજગંજ જિલ્લાની ફરેંડા વિધાનસભા બેઠક પરથી જીતી હતી.

કુશીનગર જિલ્લાની તમકુહિરાજ વિધાનસભા બેઠક પરથી બે વાર ચૂંટણી જીતી રહેલા અજય કુમાર લલ્લુ પોતે ચૂંટણી હારી ગયા. કોંગ્રેસે આ વખતે 403માંથી માત્ર બે બેઠકો જીતી હતી અને તેને 2.33 ટકા વોટ મળ્યા હતા જ્યારે પાર્ટીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 6.25 ટકા વોટ મળ્યા હતા અને સાત બેઠકો જીતી હતી.

આ પણ વાંચો : આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">