આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે

શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે. સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે
Bhagwant Mann and Arvind Kejriwal.Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:22 AM

Bhagwant Mann : બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માન (Bhagwant Mann)ના શપથ ગ્રહણ સમારોહ (Oath Taking Ceremony) માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહ શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જિલ્લામાં સ્થિત ખટકરકલાન ગામમાં યોજાશે, જે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે માન બુધવારે શપથ લેશે.

પંજાબ કેબિનેટ (Punjab Cabinet) માં મુખ્યમંત્રી સહિત 18 મંત્રીઓ હોઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પાર્ટીના અન્ય નેતાઓ હાજરી આપશે. તાજેતરના પરિણામોમાં, AAPએ પંજાબ વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. અધિકારીઓનો અંદાજ છે કે સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ભગવંત માને રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી અપેક્ષા છે

સૂત્રોએ જણાવ્યું કે ભગવંત માન આજે બપોરે 12.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથનો કાર્યક્રમ ભગતસિંહના મૂળ ગામ નવાશહેરના ખટકર કલાનમાં યોજાશે. આ કાર્યક્રમ માટે પંજાબના રાજ્યપાલ શપથ લેવડાવવા ખટકર કલા પહોંચશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આવતીકાલે શાળાઓમાં રજા રહેશે

સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહને કારણે ભારે જનમેદની થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 16 માર્ચે શાળાઓમાં રજા જાહેર કરી છે.

શપથ ગ્રહણ સમારોહ માટે 3 સ્ટેજ તૈયાર

ડેપ્યુટી કમિશનર વિશેષ સારંગલના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ માટે 3 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. મધ્યમ મંચ પર, પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત ભગવંત માનને શપથ લેવડાવશે. આ દરમિયાન મુખ્ય સચિવ પણ મંચ પર હાજર રહેશે. ભગવંત માન સિવાય બાકીના 91 ચૂંટાયેલા ધારાસભ્યો માટે યોગ્ય મંચ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાબા મંચ પર અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના નેતાઓ બેસશે.

આ પણ વાંચો : IND vs ENG, Live Score, Women’s World Cup 2022: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતે પ્રથમ બેટિંગ કરશે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">