AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે

શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે. સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે
Bhagwant Mann and Arvind Kejriwal.Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:22 AM
Share

Bhagwant Mann : બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માન (Bhagwant Mann)ના શપથ ગ્રહણ સમારોહ (Oath Taking Ceremony) માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહ શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જિલ્લામાં સ્થિત ખટકરકલાન ગામમાં યોજાશે, જે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે માન બુધવારે શપથ લેશે.

પંજાબ કેબિનેટ (Punjab Cabinet) માં મુખ્યમંત્રી સહિત 18 મંત્રીઓ હોઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પાર્ટીના અન્ય નેતાઓ હાજરી આપશે. તાજેતરના પરિણામોમાં, AAPએ પંજાબ વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. અધિકારીઓનો અંદાજ છે કે સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ભગવંત માને રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી અપેક્ષા છે

સૂત્રોએ જણાવ્યું કે ભગવંત માન આજે બપોરે 12.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથનો કાર્યક્રમ ભગતસિંહના મૂળ ગામ નવાશહેરના ખટકર કલાનમાં યોજાશે. આ કાર્યક્રમ માટે પંજાબના રાજ્યપાલ શપથ લેવડાવવા ખટકર કલા પહોંચશે.

આવતીકાલે શાળાઓમાં રજા રહેશે

સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહને કારણે ભારે જનમેદની થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 16 માર્ચે શાળાઓમાં રજા જાહેર કરી છે.

શપથ ગ્રહણ સમારોહ માટે 3 સ્ટેજ તૈયાર

ડેપ્યુટી કમિશનર વિશેષ સારંગલના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ માટે 3 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. મધ્યમ મંચ પર, પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત ભગવંત માનને શપથ લેવડાવશે. આ દરમિયાન મુખ્ય સચિવ પણ મંચ પર હાજર રહેશે. ભગવંત માન સિવાય બાકીના 91 ચૂંટાયેલા ધારાસભ્યો માટે યોગ્ય મંચ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાબા મંચ પર અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના નેતાઓ બેસશે.

આ પણ વાંચો : IND vs ENG, Live Score, Women’s World Cup 2022: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતે પ્રથમ બેટિંગ કરશે

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">