AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Target killing: કાશ્મીરની ઘાટીમાં ફરી ટાર્ગેટ કિલિંગ, આતંકવાદીઓએ બિન-કાશ્મીરીને મોતને ઘાટ ઉતાર્યો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તે દરમિયાન, સોમવારે મોડી સાંજે અનંતનાગ જિલ્લામાં એક સ્થળાંતરિત નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી.

Target killing: કાશ્મીરની ઘાટીમાં ફરી ટાર્ગેટ કિલિંગ, આતંકવાદીઓએ બિન-કાશ્મીરીને મોતને ઘાટ ઉતાર્યો
સાંકેતિક ફોટોImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:51 PM
Share

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકવાનું નામ નથી લઈ રહી. આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન, તેમણે સોમવારે મોડી સાંજે અનંતનાગ જિલ્લામાં એક સ્થળાંતરિત નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ ઉધમપુરમાં રહેતા દીપુને ગોળી મારી હતી. તે અનંતનાગમાં જંગલાત મંડી પાસે એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાનગી સર્કસ મેળામાં કામ કરતો હતો.

આ પણ વાચો: આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમા, જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ; સુરક્ષા દળોએ પેટ્રોલિંગ વધારી દીધું

જણાવવામાં આવ્યું હતું કે દીપુ પર હુમલો કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તે જ સમયે, ગોળી વાગ્યા પછી, દીપુને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં આતંકવાદીઓએ અનંતનાગમાં જ બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા હતા. 10 દિવસમાં મજૂરો પર આ બીજો ટાર્ગેટ હુમલો હતો. પોલીસે જણાવ્યું હતું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને બે બહારના મજૂરો ઘાયલ થયા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

G20ની બેઠકમાં પણ આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમા હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ એલઓસી પાર પીઓકેના ફોરવર્ડ બોર્ડર વિસ્તારોમાં ઘણા લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે. તેના પર બે ડઝનથી વધુ આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને અલગ-અલગ જૂથોમાં તૈયાર કરવામાં આવ્યા હતા.

નૌગામ સેક્ટરમાં સરહદ નજીક ખર્જનમાં ચાર, ખુઇ રટ્ટામાં પાંચ અને ઉરી-બારામુલ્લાના જંગલમાં પાંચ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર બેઠા હોવાની માહિતી ગુપ્તચર સંસ્થાઓને મળી હતી. સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયારો હતા અને છેલ્લા કેટલાક સપ્તાહમાં સરહદ પારના વિસ્તારોમાં પણ તેમની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">