Target killing: કાશ્મીરની ઘાટીમાં ફરી ટાર્ગેટ કિલિંગ, આતંકવાદીઓએ બિન-કાશ્મીરીને મોતને ઘાટ ઉતાર્યો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તે દરમિયાન, સોમવારે મોડી સાંજે અનંતનાગ જિલ્લામાં એક સ્થળાંતરિત નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી.

Target killing: કાશ્મીરની ઘાટીમાં ફરી ટાર્ગેટ કિલિંગ, આતંકવાદીઓએ બિન-કાશ્મીરીને મોતને ઘાટ ઉતાર્યો
સાંકેતિક ફોટોImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:51 PM

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકવાનું નામ નથી લઈ રહી. આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન, તેમણે સોમવારે મોડી સાંજે અનંતનાગ જિલ્લામાં એક સ્થળાંતરિત નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ ઉધમપુરમાં રહેતા દીપુને ગોળી મારી હતી. તે અનંતનાગમાં જંગલાત મંડી પાસે એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાનગી સર્કસ મેળામાં કામ કરતો હતો.

આ પણ વાચો: આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમા, જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ; સુરક્ષા દળોએ પેટ્રોલિંગ વધારી દીધું

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જણાવવામાં આવ્યું હતું કે દીપુ પર હુમલો કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તે જ સમયે, ગોળી વાગ્યા પછી, દીપુને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં આતંકવાદીઓએ અનંતનાગમાં જ બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા હતા. 10 દિવસમાં મજૂરો પર આ બીજો ટાર્ગેટ હુમલો હતો. પોલીસે જણાવ્યું હતું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને બે બહારના મજૂરો ઘાયલ થયા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

G20ની બેઠકમાં પણ આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમા હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ એલઓસી પાર પીઓકેના ફોરવર્ડ બોર્ડર વિસ્તારોમાં ઘણા લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે. તેના પર બે ડઝનથી વધુ આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને અલગ-અલગ જૂથોમાં તૈયાર કરવામાં આવ્યા હતા.

નૌગામ સેક્ટરમાં સરહદ નજીક ખર્જનમાં ચાર, ખુઇ રટ્ટામાં પાંચ અને ઉરી-બારામુલ્લાના જંગલમાં પાંચ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર બેઠા હોવાની માહિતી ગુપ્તચર સંસ્થાઓને મળી હતી. સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયારો હતા અને છેલ્લા કેટલાક સપ્તાહમાં સરહદ પારના વિસ્તારોમાં પણ તેમની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">