Karnataka Road Accident: કર્ણાટકથી ગુજરાત આવી રહેલા ટ્રકનો ભયાનક માર્ગ અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 6 લોકોના મોત
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના સંબંધીઓને 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો.
Copple: કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આજે એટલે કે રવિવારે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થયો હતો. આ અકસ્માતમાં બે બાળકો અને એક મહિલા સહિત છ લોકોનાં મોત થયાં હતાં. કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાલકેરી ગામ પાસે થયો હતો. તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતા અને તેઓ કારમાં બેંગ્લોર જઈ રહ્યા હતા, જ્યારે ટ્રક તામિલનાડુથી ગુજરાત તરફ રવાના થઈ હતી.
આ પણ વાચો: Viral Video: ટ્રેક્ટર પર સ્ટંટ દરમિયાન થયો અકસ્માત, વ્યક્તિ મોતના મુખમાંથી માંડ માંડ બચ્યો
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, સામસામે અથડામણમાં આખી કાર ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે અને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સરકાર મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયાની સહાય આપશે
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં આ જ સમાચાર ચિંચનૂરથી સામે આવ્યા હતા. જ્યાં વાહન સાથે ઝાડ અથડાયું હતું. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ મામલે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં 5નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Karnataka | 6 people died after a car collided with a lorry in Koppal district. CM Siddaramaiah has announced Rs 2 lakhs compensation to the kin of victims: Karnataka CMO pic.twitter.com/eeBQbVmRei
— ANI (@ANI) May 28, 2023
જ્યારે છઠ્ઠા વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું. બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેથી જ કર્ણાટકના સિંચાઈ મંત્રી ગોવિંદ કરજોલે મૃતકોના નજીકના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે આ અકસ્માતમાં 6 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો અને મૃતકોના ગામમાં પણ સમાચાર સાંભળી સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું