મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને 100 કરોડના આભુષણોનો શણગાર કરાયો

ભગવાનની પ્રતિમાને શણગાર કરવામાં આવતા દાગીનાની (ornaments ) વાત કરવામાં આવે તો તે વર્ષો જુના છે. આ દાગીનાની કહાની મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને 100 કરોડના આભુષણોનો શણગાર કરાયો
100 કરોડની કિંમતના હીરા મોતી જડિત આભૂષણોથી ભગવાન સજ્જ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 9:22 AM

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની (Janmashtami) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્લાલિયરમાં પણ ઉત્સાહ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. દર વર્ષની જેમ રજવાડા મંદિરમાં રાધા અને કૃષ્ણની પ્રતિમાને કરોડો રૂપિયાના હીરા અને ઝવેરાતથી શણગારવામાં આવી હતી. રાધા-કૃષ્ણની મૂર્તિઓને જે રત્ન જડિત આભૂષણોથી (Jewelry) શણગાર કરવામાં આવ્યો હતો, તેની કિંમત રૂ. 100 કરોડથી વધુ છે. ભગવાનને શણગાર કરવા દરમિયાન મંદિરની અંદર અને બહાર સુરક્ષા માટે લગભગ 150 જવાન તૈનાત કરવામાં આવ્યા આવ્યા હતા. યુનિફોર્મની સાથે સાદા યુનિફોર્મમાં સુરક્ષા જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

મંદિરનો ઇતિહાસ

ભગવાનની પ્રતિમાને શણગાર કરવામાં આવતા દાગીનાની વાત કરવામાં આવે તો તે વર્ષો જુના છે. આ દાગીનાની કહાની મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી છે. ફૂલ બાગ ખાતેના ગોપાલ મંદિરની સ્થાપના ગ્વાલિયર રજવાડાના તત્કાલીન શાસક માધવરાવ દ્વારા 1921માં કરવામાં આવી હતી. તે સમયે ભગવાન માટે 55 પન્ના અને સાત લાડી, સોનાની વાંસળી, સોનાની નથ અને પૂજામાં વપરાતા ચાંદીના વાસણો, ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓને વસ્ત્ર જેવા ચાંદી અને સોનાના દાગીના બનાવાયા હતા.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

દર્શન માટે આખુ વર્ષ રાહ જુએ છે ભક્તો

ગ્વાલિયરનું પ્રાચીન ગોપાલ મંદિર સિંધિયા સમયગાળાને કારણે એક અલગ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. સિંધિયાના રજવાડાના સમયથી, ભગવાનની દિવ્ય શણગાર પોખરાજ, હીરા, રૂબી નીલમથી કરવામાં આવે છે. તે સમયથી જ ભગવાનના આ અનોખા કરોડો રૂપિયાના દાગીનાના દર્શન માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે. જેના કારણે અહીં દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે.

કોર્પોરેશનની દેખરેખ હેઠળ લોકરમાં રખાય છે દાગીના

આઝાદી પહેલા પણ ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ આ દાગીનાથી શણગારવામાં આવી હતી. જો કે દેશની આઝાદી પછી 2007 માં મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખ હેઠળ આવેલા બેંક લોકરમાં આ જ્વેલરી (Jewelry) મૂકવામાં આવે છે અને ત્યારથી દરેક જન્માષ્ટમી પર, રાધા-કૃષ્ણની મૂર્તિઓ તેમાં પહેરવામાં આવે છે. આ વર્ષે મેયર શોભા સિકરવાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે ભગવાન રાધા કૃષ્ણને કરોડોના કિંમતી આભૂષણોથી શણગાર કર્યો હતો.

સિંધિયા વંશના 101 વર્ષ જૂના મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ છે. દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ગોપાલ મંદિર ખાતે 24 કલાકનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભક્તો અહીં દર્શન કરવા આતુરતાથી આખુ વર્ષ રાહ જોતા હોય છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">