AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માલેગાંવ વિસ્ફોટકાંડ : ‘મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું’, NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું.

માલેગાંવ વિસ્ફોટકાંડ : 'મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું', NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો
Malegaon Blast(File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:25 AM
Share

Malegaon Blast:મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટના એક સાક્ષીએ સ્પેશિયલ NIAમાં કોર્ટમાં (Special Court) ચોંકાવનારો દાવો કર્યો છે. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સહિત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું.

સાક્ષીના ચોંકાવનારા દાવાથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને(Parambir Singh)  તે સમયે ATS ના એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીનું નિવેદન, ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યું હોવાથી ATS દ્વારા CRPCની કલમ 161 હેઠળ તે સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે, પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તેને મુંબઈ અને પુણે ATSની ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આમ નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં અને અન્ય આરોપીઓની જેમ જ તેણે સજા ભોગવવી પડશે.ત્યારે હાલ NIA કોર્ટમાં સાક્ષીએ પોતાનું 5 પાનાનું નિવેદન નોંધીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં (Malegaon Blast) એક મોટરસાઈકલમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. તેમજ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે આ કેસની તપાસ મહારાષ્ટ્ર ATS (Maharashtra ATS) ને સોંપવામાં આવી હતી. જોકે, ATSએ આ કેસમાં ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, સમીર કુલકર્ણી, અજય રાહિલકર, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીને દોષી ઠેરવ્યા હતા.

આ તમામ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત આતંકવાદની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ આ આરોપોમાં આરોપીને આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.ત્યારે હાલ સાક્ષીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના આખરી દિવસે અજીત પવાર શા માટે એવું બોલ્યા, ‘અમે કૂતરા, બિલાડી અને મરઘાનું પ્રતિનિધિત્વ કરતા નથી’

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">