માલેગાંવ વિસ્ફોટકાંડ : ‘મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું’, NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું.

માલેગાંવ વિસ્ફોટકાંડ : 'મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું', NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો
Malegaon Blast(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:25 AM

Malegaon Blast:મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટના એક સાક્ષીએ સ્પેશિયલ NIAમાં કોર્ટમાં (Special Court) ચોંકાવનારો દાવો કર્યો છે. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સહિત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું.

સાક્ષીના ચોંકાવનારા દાવાથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને(Parambir Singh)  તે સમયે ATS ના એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીનું નિવેદન, ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યું હોવાથી ATS દ્વારા CRPCની કલમ 161 હેઠળ તે સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે, પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તેને મુંબઈ અને પુણે ATSની ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આમ નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં અને અન્ય આરોપીઓની જેમ જ તેણે સજા ભોગવવી પડશે.ત્યારે હાલ NIA કોર્ટમાં સાક્ષીએ પોતાનું 5 પાનાનું નિવેદન નોંધીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં (Malegaon Blast) એક મોટરસાઈકલમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. તેમજ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે આ કેસની તપાસ મહારાષ્ટ્ર ATS (Maharashtra ATS) ને સોંપવામાં આવી હતી. જોકે, ATSએ આ કેસમાં ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, સમીર કુલકર્ણી, અજય રાહિલકર, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીને દોષી ઠેરવ્યા હતા.

આ તમામ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત આતંકવાદની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ આ આરોપોમાં આરોપીને આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.ત્યારે હાલ સાક્ષીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના આખરી દિવસે અજીત પવાર શા માટે એવું બોલ્યા, ‘અમે કૂતરા, બિલાડી અને મરઘાનું પ્રતિનિધિત્વ કરતા નથી’

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">