Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત

આ ગાડી પૂણેથી દાનાપુર જઈ રહી હતી. મનમાડથી નજીક પહોંચતા તેના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતને કારણે પૂણે તરફ જતી રેલ સેવા પ્રભાવિત થઈ છે.

Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત
symbolic picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 10:23 PM

નાશિકના મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના (Kisan express) બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત મનમાડથી બે કિલોમીટરના અંતરે થયો હતો. આ ટ્રેન પૂણેથી દાનાપુર જઈ રહી હતી. મનમાડ નજીક આવતા તેના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. સ્પીડ વધુ ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને રેલવેનો ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પાટા પરથી ઉતરી ગયેલા કોચને અલગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતને કારણે પૂણે તરફ જતી રેલ વ્યવસ્થાને અસર થઈ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

છેલ્લા 15 દિવસમાં આ બીજી અને બે મહિનામાં ચોથી ટ્રેન દુર્ઘટના 

છેલ્લા 15 દિવસમાં આ બીજી અને બે મહિનામાં ચોથી ટ્રેન દુર્ઘટના છે. બે દિવસ પહેલા શનિવારે રાત્રે હાટિયા-રાઉરકેલા રેલ્વે લાઈન પર એક ભયાનક દુર્ઘટનામાં બે માલગાડીઓ અથડાઈ હતી. આ દુર્ઘટના રાત્રે 10 વાગ્યે કુરકુરા રેલવે સ્ટેશન પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક માલગાડી રાઉરકેલાથી રાંચી જઈ રહી હતી અને બીજી માલગાડી રાંચીથી રાઉરકેલા જઈ રહી હતી. ત્યારે રાત્રે 10 વાગ્યે કુરકુરા રેલવે સ્ટેશન પાસે આ બંને માલગાડીઓ સામસામે અથડાઈ હતી. બંને ગાડીઓ એક જ લાઈન પર હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભયાનક અકસ્માતમાં એક પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના ઉધમપુર-દુર્ગ એક્સપ્રેસમાં આગ લાગી હતી. A-1 અને A-2 AC કોચમાં આગ લાગી હતી. હેતમપુર રેલવે સ્ટેશનથી નીકળતા જ આ બંને કોચમાં અચાનક આગ લાગી હતી. તરત જ આ કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. ટ્રેનના આગળના ભાગોને બાકીના ભાગોથી અલગ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મહારાષ્ટ્રમાં થયા છે સૌથી વધુ ટ્રેન અકસ્માતો 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ ગયા વર્ષે ટ્રેન અકસ્માતોમાં દરરોજ 32 લોકોના મોત થયા હતા. એનસીઆરબીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રેન અકસ્માતો થયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ બીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં જ્યાં રેલ અકસ્માતમાં 1,922 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 1,558 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના આખરી દિવસે અજીત પવાર શા માટે એવું બોલ્યા, ‘અમે કૂતરા, બિલાડી અને મરઘાનું પ્રતિનિધિત્વ કરતા નથી’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">