Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: થાણે પોલીસે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી, સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

સમીરે બોમ્બે હાઈકોર્ટમાં થાણે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. આ સાથે વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરીને થાણે કલેક્ટર દ્વારા રદ્દ કરાયેલ બાર લાયસન્સ પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે.

Maharashtra: થાણે પોલીસે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી, સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો
Sameer-Wankhede (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 8:45 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra) થાણે પોલીસે મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધાયો છે. સમીર પર હોટલ અને બારનું લાઇસન્સ મેળવવામાં કથિત છેતરપિંડીનો આરોપ છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજેશ નાર્વેકરે નવી મુંબઈમાં હોટેલ અને બારનું લાઇસન્સ રદ કર્યું, અને દાવો કર્યો કે તે ખોટી માહિતી આપીને અને છેતરપિંડીથી મેળવ્યું હતું. થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. વિજય કુમાર રાઠોડે જણાવ્યું હતું કે રાજ્ય આબકારી અધિકારીઓની ફરિયાદ બાદ કોપરી પોલીસ સ્ટેશનમાં વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે ગયા વર્ષે નવેમ્બરમાં સમીર પર આરોપ લગાવ્યો હતો કે વાનખેડેનો નવી મુંબઈના વાશીમાં પરમિટ રૂમ અને બાર છે, જેનું લાઇસન્સ 1997માં સમીર વાનખેડેના નામે લેવામાં આવ્યું હતું. ત્યારે વાનખેડે સગીર હતો અને તેથી તે ગેરકાયદેસર છે.

સરકારી નોકરી છતાં બાર લાઇસન્સ

મલિકે એમ પણ કહ્યું હતું કે સરકારી સેવામાં હોવા છતાં, વાનખેડે પાસે પરમિટ રૂમ ચલાવવાનું લાઇસન્સ છે, જે સેવા નિયમોની વિરુદ્ધ છે. ત્યારે વાનખેડેએ મંત્રીના દાવાઓને ફગાવી દીધા હતા. બાદમાં રાજ્યના આબકારી વિભાગે વાનખેડેને બારના લાયસન્સ અંગે નોટિસ પાઠવી હતી.અગાઉ એક અધિકારીએ જણાવ્યું હતું કે વાનખેડેના નોટિસના જવાબ અને મામલાની તપાસ બાદ કલેક્ટર એવા નિષ્કર્ષ પર આવ્યા કે વાનખેડેએ 27 લાઇસન્સ મેળવ્યા હતા. ઑક્ટોબર 1997 ના રોજ, જ્યારે તે 21 વર્ષની માન્ય ઉંમરને બદલે 18 વર્ષથી ઓછી ઉંમરના હતા ત્યારે આ લાઇસન્સ મેળવ્યા હતા .

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ

સમીર વાનખેડેની હાઈકોર્ટમાં પિટિશન દાખલ

સમીરે બોમ્બે હાઈકોર્ટમાં થાણે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. આ સાથે વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરીને થાણે કલેક્ટર દ્વારા રદ્દ કરાયેલ બાર લાયસન્સ પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે. આ મામલે આવતીકાલે સુનાવણી થશે. આ દરમિયાન થાણે પોલીસે વાનખેડેને પણ સમન્સ પાઠવ્યું છે. તેણે 23 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં સંબંધિત દસ્તાવેજો સાથે પોતાનું નિવેદન નોંધવાનું રહેશે.

આ પણ વાંચો :Cashew Benefits : ડાયાબિટીસના દર્દીઓને વજન ઘટાડવા મદદ કરશે આ સૂકો મેવો

આ પણ વાંચો :Fruit Chat : ફાસ્ટ ફૂડની જગ્યાએ ખાઓ ફ્રૂટ ચાટ, શરીરને આપશે ભરપૂર પોષણ

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
g clip-path="url(#clip0_868_265)">