AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથને કહ્યું, માત્ર ગૃહમાં જ નહીં, રાજકારણમાં પણ બહુમતી બતાવો

ડીવાય ચંદ્રચુડે એમ પણ કહ્યું હતું કે જો ફ્લોર ટેસ્ટનું કારણ દસમી સૂચિના ઉલ્લંઘન પર આધારિત છે, તો આવા ફ્લોર ટેસ્ટ માટે બોલાવવાથી દસમી સૂચિના સમગ્ર આધાર અને ઉદ્દેશ્યને નુકસાન થશે.

સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથને કહ્યું, માત્ર ગૃહમાં જ નહીં, રાજકારણમાં પણ બહુમતી બતાવો
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 5:57 PM
Share

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથે મંગળવારે શિવસેના પક્ષ પર તેની સત્તા પર ભાર મૂક્યો હતો, સુપ્રીમ કોર્ટને કહ્યું કે, વિધાનસભ્ય પક્ષ અવિભાજ્ય અને એક પક્ષ સાથે સંગઠિત રીતે જોડાયેલ છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન શિંદે જૂથ તરફથી વરિષ્ઠ વકીલ એન.કે કૌલે અનેક રજૂઆતો કરી હતી. ખંડપીઠમાં રહેલા જસ્ટિસ નરસિમ્હાએ ટીપ્પણી કરી હતી કે તમારે રાજનીતિમાં બહુમતી બતાવવી જોઈએ, ગૃહમાં નહીં.

આ પણ વાચો: મુંબઈમાં શિવસેનાની ઈમારત ક્યારે અને કેવી રીતે બંધાઈ? જે મહારાષ્ટ્રની મોટી ઉથલપાથલની સાક્ષી બની

જજની આ ટિપ્પણી પર વરિષ્ઠ વકીલ એનકે કૌલે કોર્ટને કહ્યું કે તેઓ બુધવારે આ મુદ્દે જવાબ આપશે. સુનાવણી દરમિયાન કોર્ટે શિંદે કેમ્પને અનેક સવાલો પણ કર્યા. કોર્ટે ડિફેક્શન અને ફ્લોર ટેસ્ટને કેવી રીતે અલગ કરી શકાય તે જાણવાનો પ્રયાસ કર્યો.

પક્ષપલટાને કાયદેસર બનાવી રહ્યા છે

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એમ પણ કહ્યું હતું કે, જો ફ્લોર ટેસ્ટનું કારણ દસમી સૂચિના ઉલ્લંઘન પર આધારિત છે, તો આવા ફ્લોર ટેસ્ટ માટે બોલાવવાથી દસમી સૂચિના સમગ્ર આધાર અને ઉદ્દેશ્યને નુકસાન થશે. કોર્ટે એ પણ જાણવાની માંગ કરી હતી કે શું તેઓ પક્ષપલટાને કાયદેસર બનાવી રહ્યા છે. આના જવાબમાં, શિંદે જૂથના વકીલે કહ્યું કે તેમનો કેસ દસમી સૂચિ હેઠળ આવતો નથી.

ગઠબંધન સાથે જવા માંગતા નથી

ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે શિંદે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિરજ કિશન કૌલને કહ્યું કે, જો તમે ગઠબંધન સાથે જવા માંગતા નથી, તો ગૃહ (વિધાનસભા)ની બહાર તેનો નિર્ણય કરો, તમે પક્ષની શિસ્તથી બંધાયેલા છો. તમે એમવીએ જોડાણ સાથે ચાલુ રાખવા માંગતા નથી તેવો પત્ર રાજ્યપાલને લખવો એ પોતે ગેરલાયક ઠરવાનું કારણ છે. રાજ્યપાલે વાસ્તવમાં પત્રનો અભ્યાસ કરીને પક્ષમાં વિભાજનને માન્યતા આપી છે.

રાજ્યપાલ આ કોર્ટના નિર્ણયથી બંધાયેલા હતા

કૌલે કહ્યું કે, રાજ્યપાલ એસ આર બોમાઈ કેસમાં નવ જજની બંધારણીય બેંચના 1994ના ચુકાદાથી બંધાયેલા હતા કે બહુમતની અંતિમ કસોટી ગૃહના ફ્લોર પર હોવી જોઈએ. 2020ના શિવરાજ સિંહ ચૌહાણ કેસમાં આના પર આધાર રાખવામાં આવ્યો હતો. “રાજ્યપાલ આ કોર્ટના નિર્ણયથી બંધાયેલા હતા અને ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો. તેઓએ બીજું શું કરવું જોઈએ?

રાજ્યપાલ મુખ્યમંત્રીને ફ્લોર ટેસ્ટ માટે કહી શકે છે?

બેંચમાં જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ સામેલ હતા. ખંડપીઠે કૌલને રાજ્યપાલ સમક્ષ કઇ સંબંધિત સામગ્રી હતી જેના આધારે તેમણે ફ્લોર ટેસ્ટ માટે કહ્યું હતું, તે સમજાવવા કહ્યું હતું. તેમણે કહ્યું, સરકાર ચાલી રહી હતી. શું રાજ્યપાલ મુખ્યમંત્રીને ફ્લોર ટેસ્ટ માટે કહી શકે છે? જો ચૂંટણી પછી થયું હોત તો વાત જુદી હોત. જ્યારે સરકાર રચાય છે, ત્યારે કોઈ જૂથ એટલું જ કહી શકતું નથી કે અમે આ ગઠબંધનનો ભાગ બની શકીએ નહીં. મને કહો કે એવા કયા અનિવાર્ય કારણો હતા જેના કારણે રાજ્યપાલે તત્કાલીન મુખ્યમંત્રીને ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે કહેવું પડ્યું? રાજ્યપાલે તમને ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું કહેતા શું અટકાવ્યું?

હરીફ જૂથને માન્યતા આપીને પક્ષપલટાને કાયદેસર બનાવતા નથી

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પૂછ્યું કે શા માટે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને તેની બહુમતી સાબિત કરવા માટે કહેવામાં આવે અને શું રાજ્યપાલ હરીફ જૂથને માન્યતા આપીને પક્ષપલટાને કાયદેસર બનાવતા નથી, જે અન્યથા દસમી સૂચિ હેઠળ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું, “હા, અમે સંમત છીએ કે ધારાસભ્યને ફક્ત સાંસદ/ધારાસભ્ય સામેની ગેરલાયકાતની અરજી પેન્ડન્સીના આધારે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેતા અટકાવી શકાય નહીં.” ચાલુ રહેશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">