AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશ વિધાનસભાની તમામ બેઠકો પર યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે !

શિવસેનાએ (Shiv sena) મહારાષ્ટ્ર રાજ્ય કારોબારીની બેઠકમાં ભાજપ પર આરોપ લગાવ્યો કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.

શિવસેનાનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશ વિધાનસભાની તમામ બેઠકો પર યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે !
Yogi Adityanath and Uddhav Thackeray(File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:26 AM
Share

Maharashtra: વર્ષે 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષોએ આ માટે તૈયારીઓ શરૂ કરી છે. આ પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (UttarPradesh) સૌથી મહત્વનું છે. ત્યારે આ વખતે શિવસેના પણ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશવા માટે તૈયાર છે. શિવસેના ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે શિવસેનાની રાજ્ય કારોબારી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ (Yogi Aditynath) અને ભાજપના નેતૃત્વ સામે શિવસેના પોતાના ઉમેદવારો ઉતારી રહી છે એટલું જ નહીં, તે ભાજપ પર પણ ખૂબ આક્રમક જોવા મળી રહી છે.

ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ : શિવસેના

રાજ્ય કારોબારીની બેઠકમાં શિવસેનાએ(Shiv Sena)  ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ઉપરાંત રાજ્યમાં મહિલાઓ વધુને વધુ અસુરક્ષિત બની છે.

ઉત્તર પ્રદેશમાં આરોગ્ય અને શિક્ષણની અપુરતી સુવિધા, મોંઘવારીથી જનતા પરેશાન : શિવસેના

ઉત્તર પ્રદેશના દારુલશાફામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના શિવસેના પ્રમુખ અનિલ સિંહે (Anil Singh) કહ્યું હતુ કે, ‘ઉત્તર પ્રદેશની યોગી સરકાર બ્રાહ્મણોને યોગ્ય રીતે ન્યાય નથી આપી રહી. ઉપરાંત શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે યુપીમાં આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ વ્યવસ્થાની હાલત ભાજપના શાસનમાં ભાંગી પડી છે. લોકો બેરોજગારી (Unemployment)અને મોંઘવારીથી ત્રસ્ત છે.

આગામી વર્ષમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી

ઉતરપ્રદેશ, ઉતરાખંડ,ગોવા,મણિપુર અને પંજાબ આ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનને (Dharmendra Pradhan) ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. ભાજપનું નેતૃત્વ કઈ રણનીતિ સાથે બહાર આવે છે તે જોવાનું રહ્યું. કારણ કે યુપીની ચૂંટણીને 2024 ની લોકસભા ચૂંટણીનું મીટર માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: શું મહારાષ્ટ્રના રાજ્યપાલ ફરી ઉતરાખંડની રાજનીતિમાં સક્રિય થશે? પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે યાદ અપાવ્યો નિયમ

આ પણ વાંચો:  શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">