UP Election 2022 : “ભાજપ અમારા હિંદુત્વથી ડરે છે”, શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

રાઉતે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે શિવસેનાના 6-7 ઉમેદવારોની અરજીઓ ફગાવી દેવામાં આવી છે. રિટર્નિંગ ઓફિસર, જિલ્લા મેજિસ્ટ્રેટ કંઈ સાંભળવા તૈયાર નથી. આ બધું ભાજપના દબાણમાં થઈ રહ્યુ છે.

UP Election 2022 : ભાજપ અમારા હિંદુત્વથી ડરે છે, શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Sanjay Raut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 4:46 PM

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વીટ કરીને લખ્યુ કે, આ દિવસે હિન્દુત્વવાદીઓએ ગાંધીજીની હત્યા કરી હતી. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સંજય રાઉતે સવાલ કર્યો હતો કે જો ગાંધીજીને ગોળી મારનાર સાચો હિન્દુત્વવાદી હોત તો તેણે ઝીણાને ગોળી મારી હોત. તેણે પાકિસ્તાનની માંગણી કરી હતી.

આ બધું ભાજપના દબાણને કારણે થઈ રહ્યુ છે

આ સિવાય સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાના 6-7 ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવી છે. રિટર્નિંગ ઓફિસર, જિલ્લા મેજિસ્ટ્રેટ કંઈ સાંભળવા તૈયાર નથી. આ બધું ભાજપના દબાણને કારણે થઈ રહ્યુ છે.

હિંદુત્વવાદી પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલો

સંજય રાઉતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યુ કે, ‘જો પુરુષત્વ બતાવવાનુ હતુ તો એક નિઃશસ્ત્ર રહસ્યવાદી ગાંધીજીને કેમ ગોળી મારી, ઝીણાને કેમ ન માર્યા ? જો શૂટર સાચો હિંદુત્વવાદી હોત તો તેણે ભાગલાનું સાચું કારણ મોહમ્મદ અલી ઝીણાને ગોળી મારી દીધી હોત. ગાંધીજીની કેટલીક ભૂમિકાઓ પર ટિપ્પણી કરી શકાય છે, તેમના વ્યક્તિત્વ પર નહીં. રાષ્ટ્રને એક કરવામાં, અહિંસા અને સત્યાગ્રહ દ્વારા નિઃશસ્ત્ર બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ સામે સમગ્ર રાષ્ટ્રને ઉભા કરવામાં તેમનું યોગદાન અસાધારણ છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ભાજપ અમારા હિંદુત્વથી ડરે છે, યુપીમાં પણ અમને રોકવાની કોશિશ

ઉત્તર પ્રદેશ ચૂંટણીના મુદ્દે સંજય રાઉતે કહ્યુ કે, ‘ભાજપ શિવસેનાથી ડરે છે, તેથી તે શિવસેનાને ઉત્તર પ્રદેશમાં રોકવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહીમાં ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભય હોવી જોઈએ. અમારા ઉમેદવારોને ત્યાં ધમકાવવામાં આવી રહ્યા છે. ભાજપ આપણા હિન્દુત્વથી ડરે છે. તેઓને ડર છે કે કદાચ તેઓ ત્યાં અમારા કારણે હારશે. ઉપરાંત તેઓને એવો પણ ડર છે કે આપણે ક્યાંક જીતીને બહાર ન આવીએ.

આ પણ વાંચો : નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">