Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ

Rana vs Thackeray Matoshree Politics : નવનીત રાણાના ( MP Navneet Rana) પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.

Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ
Navneet Rana vs Shiv sena
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:53 AM

હનુમાન ચાલીસાના પાઠને લઈને મુંબઈમાં (Mumbai) વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ ( MP Navneet Rana) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઘોષણા કરી હતી, જે બાદ સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. નવનીત રાણાએ સવારે નવ વાગ્યાનો સમય આપ્યો હતો અને તે પહેલા જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. . ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘરની બહાર આ હંગામો થઈ રહ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.

મુંબઈ પોલીસે રાણા દંપતિને પાઠવી નોટીસ

આ મામલે મુંબઈ પોલીસે તેમને નોટિસ પણ પાઠવી છે. નોટિસમાં પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. નોટિસમાં તેcને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બહાર નિકળે છે અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યા ઊભી થાય છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે. પરંતુ રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ પર અડગ છે. રાણા દંપતીના નિર્ણય બાદ સીએમના બંગલા માતોશ્રીની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસનો કડક બંદોબસ્ત

એક તરફ ખારમાં પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે. આ સાથે જ માતોશ્રી પણ છાવણીના સ્વરૂપમાં ફેરવાયું છે. મોટા પાયે બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક પગલા લીધા છે.

મોહીતકંબોજની ગાડી ઉપર હુમલો

આ દરમિયાન શિવસૈનિકોએ ભાજપના નેતા મોહિત કંબોજના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલો બાંદ્રાના કલાનગર સિગ્નલ પર માતોશ્રી પાસે રાત્રે 9.15 થી 9.30 વચ્ચે થયો હતો. હુમલા બાદ શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને વરુણ સરદેસાઈએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે મોહિત કંબોજ તેમની કારમાંથી કેમ નીચે ઉતર્યા?  માતોશ્રી અને કલાનગરની રેકી કરવાની હોવાથી તેઓ નીચે ઉતર્યા. તેઓ ત્યાં ફોટા પાડી રહ્યા હતા. જ્યારે શિવસૈનિકો તેમની પાસે પહોંચ્યા તો તેઓ કારમાં નાસી ગયા. વિનાયક રાઉતે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની કારમાં હથિયારો હતા અને હોકી સ્ટિક રાખવામાં આવી હતી.

મોહિત કંબોજે ટ્વિટ કરીને શિવસેનાના કાર્યકરોને આપ્યો વળતો જવાબ

આ મુદ્દે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે TV9ને જણાવ્યું હતું કે શિવસેનાના નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ કેવી રીતે હથિયાર અને હથિયારોની વાત કરીને તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહિત કંબોજની કાર પર શિવસૈનિકો દ્વારા કરાયેલા હુમલા બાદ કંબોજના ઘરે બીજેપી નેતાઓની મહત્વની બેઠક મળી હતી.

આ પણ વાંચો :  લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો ‘માતોશ્રી’ સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">