AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ

Rana vs Thackeray Matoshree Politics : નવનીત રાણાના ( MP Navneet Rana) પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.

Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ
Navneet Rana vs Shiv sena
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:53 AM
Share

હનુમાન ચાલીસાના પાઠને લઈને મુંબઈમાં (Mumbai) વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ ( MP Navneet Rana) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઘોષણા કરી હતી, જે બાદ સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. નવનીત રાણાએ સવારે નવ વાગ્યાનો સમય આપ્યો હતો અને તે પહેલા જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. . ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘરની બહાર આ હંગામો થઈ રહ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે, બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળવા છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ છે.

મુંબઈ પોલીસે રાણા દંપતિને પાઠવી નોટીસ

આ મામલે મુંબઈ પોલીસે તેમને નોટિસ પણ પાઠવી છે. નોટિસમાં પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. નોટિસમાં તેcને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બહાર નિકળે છે અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત સમસ્યા ઊભી થાય છે તો તેમને જવાબદાર ગણવામાં આવશે. પરંતુ રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ પર અડગ છે. રાણા દંપતીના નિર્ણય બાદ સીએમના બંગલા માતોશ્રીની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

પોલીસનો કડક બંદોબસ્ત

એક તરફ ખારમાં પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે. આ સાથે જ માતોશ્રી પણ છાવણીના સ્વરૂપમાં ફેરવાયું છે. મોટા પાયે બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક પગલા લીધા છે.

મોહીતકંબોજની ગાડી ઉપર હુમલો

આ દરમિયાન શિવસૈનિકોએ ભાજપના નેતા મોહિત કંબોજના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલો બાંદ્રાના કલાનગર સિગ્નલ પર માતોશ્રી પાસે રાત્રે 9.15 થી 9.30 વચ્ચે થયો હતો. હુમલા બાદ શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને વરુણ સરદેસાઈએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે મોહિત કંબોજ તેમની કારમાંથી કેમ નીચે ઉતર્યા?  માતોશ્રી અને કલાનગરની રેકી કરવાની હોવાથી તેઓ નીચે ઉતર્યા. તેઓ ત્યાં ફોટા પાડી રહ્યા હતા. જ્યારે શિવસૈનિકો તેમની પાસે પહોંચ્યા તો તેઓ કારમાં નાસી ગયા. વિનાયક રાઉતે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની કારમાં હથિયારો હતા અને હોકી સ્ટિક રાખવામાં આવી હતી.

મોહિત કંબોજે ટ્વિટ કરીને શિવસેનાના કાર્યકરોને આપ્યો વળતો જવાબ

આ મુદ્દે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે TV9ને જણાવ્યું હતું કે શિવસેનાના નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ કેવી રીતે હથિયાર અને હથિયારોની વાત કરીને તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહિત કંબોજની કાર પર શિવસૈનિકો દ્વારા કરાયેલા હુમલા બાદ કંબોજના ઘરે બીજેપી નેતાઓની મહત્વની બેઠક મળી હતી.

આ પણ વાંચો :  લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો ‘માતોશ્રી’ સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">