Maharashtra Rain : મહારાષ્ટ્રમાં પૂર-વરસાદને કારણે 31 લોકોનાં મોત, ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે ( Indian Meteorology Department)મુંબઈ, થાણે સહિત કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભમાં શનિવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ભારે વરસાદને પગલે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાલઘર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Maharashtra Rain : મહારાષ્ટ્રમાં પૂર-વરસાદને કારણે 31 લોકોનાં મોત, ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી
Heavy Rain in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:44 AM

Maharashtra Rain :  મહારાષ્ટ્રના લગભગ 16 જિલ્લાઓમાં ગુરૂવારે પણ વરસાદ થવાની સંભાવના છે, ઉપરાંત ભારે વરસાદને પગલે મુંબઈ, થાણે અને પાલઘર જેવા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આ સપ્તાહના અંત સુધી વરસાદ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉપરાંત મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD મુજબ 11 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બુધવારે પણ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, અત્યાર સુધીમાં 31થી વધુ લોકોનાં મોત

બીજી બાજુ, છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં મહારાષ્ટ્રના મરાઠાવાડામાં 31 લોકોના મોત થયા છે. એક વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, મંગળવારે 1 માંથી 12 લોકોના મોત થયા હતા. વિભાગીય કમિશનર કચેરીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “મરાઠાવાડા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. IMD અનુસાર, મરાઠવાડાના 145 સર્કલના આઠ જિલ્લાઓમાં મંગળવાર સુધી છેલ્લા 24 કલાકમાં 65 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

 રસ્તાઓ પાણીમાં ગરકાવ

ઓગસ્ટમાં દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડાના ઓરંગાબાદ અને બીડ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.ઉપરાંત ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહીને પગલે 16 જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મુશળધાર વરસાદને કારણે નાંદેડમાં રસ્તાઓ સહિત દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ હતી.જ્યારે અમરાવતી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઘણા ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર

આ પણ વાંચો: Maharashtra : એરપોર્ટ એક અને ઉદ્ધાટન બે ! સિંધુદુર્ગ ચીપી એરપોર્ટથી શરૂ થઈ રહી છે ફ્લાઈટ, ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહી છે ફાઈટ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">