AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર

મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધતુ જોવા મળી રહ્યુ છે, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઓગસ્ટમાં મળેલા કેસોના લગભગ 31 ટકા છે. એટલે કે, સમગ્ર ઓગસ્ટમાં નોંધાયેલા કેસોમાંથી લગભગ 31 ટકા કેસ માત્ર સાત દિવસમાં મળી આવ્યા છે. ઓગસ્ટમાં, મુંબઈમાં 9300 થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે 2,900 થી વધુ કેસ નોંધાયા છે.

Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર
Ganesh Utsav (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 9:20 AM
Share

Mumbai : કોરોનાની ત્રીજી લહેરનો ખતરો સતત મંડરાય રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરને ટાળવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે,ત્યારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પરેશન (Bombay municipal corporation)દ્વારા પણ ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

મુૃૃૃૃંબઈમાં કોરોનાની ત્રીજી લહેર અંગે મેયરે કરી સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે, દેશમાં કેરળ અને મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે, મુંબઈના મેયરે કહ્યું હતું કે મુંબઈમાં ત્રીજી લહેર આવી છે, જો કે તેણે બાદમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવી નથી, પરંતુ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.હાલ કોરોનાની ત્રીજી લહેર (Corona third Wave) આવી નથી તેવું માનવામાં આવી રહ્યુ છે, પરંતુ મુંબઈમાં જે રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે,તે જોઈને લાગી રહ્યુ છે કે કોરોનાની ત્રીજી લહેર થોડા સમયમાં દસ્તર દેશે.નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોરોનાની ત્રીજી લહેર,બીજી લહેર (Corona Second Wave) જેટલી ઘાતક નહિ હોય .

મુંબઈમાં કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે

તમને જણાવી દઈએ કે, મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધતુ જોવા મળી રહ્યુ છે, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઓગસ્ટમાં મળેલા કેસોના લગભગ 31 ટકા છે. એટલે કે, સમગ્ર ઓગસ્ટમાં નોંધાયેલા કેસોમાંથી લગભગ 31 ટકા કેસ માત્ર સાત દિવસમાં મળી આવ્યા છે. ઓગસ્ટમાં, મુંબઈમાં 9300 થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે 2,900 થી વધુ કેસ નોંધાયા છે.

BMC એ ગણેશ ઉત્સવને લઈને માર્ગદર્શિકા જાહેર કરી

ઉત્સવો કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે માટે BMC એ કવાયત શરૂ કરી છે.કોરોના કાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ આવું ન થાય તે માટે BMC એ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના Ganesh idol) આગમન અને વિસર્જન યાત્રામાં પાંચથી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ. ઉપરાંત જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ.

ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઉંચાઈ 2 ફૂટથી વધુ ન હોવી જોઈએ, જ્યારે જાહેર મૂર્તિઓની ઉંચાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ganesh Chaturthi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! બાપ્પા આવશે પણ ભક્તોને નહીં મળી શકે, જાણો કેવી રીતે થશે ગણપતિના દર્શન?

આ પણ વાંચો:  Maharashtra: પીએમ મોદીએ દેવેન્દ્ર ફડણવીસના ખભ્ભે નાખી જવાબદારી, ફડણવીસ બોલ્યા- જીતીને આવશે

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">