મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર, વિનાશક પૂરમાં 30થી વધુ લોકોના મોત
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વિનાશક પૂરમાં અત્યાર સુધી 30થી વધુ લોકોના મોત થયા છે. અનેક લોકો હજુ પણ પૂરના પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. કોલ્હાપુર શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. કોલ્હાપુર નજીકના આંબેવાડી અને ચિખલી ગાંવના લોકોએ સ્થળાંતર […]
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વિનાશક પૂરમાં અત્યાર સુધી 30થી વધુ લોકોના મોત થયા છે. અનેક લોકો હજુ પણ પૂરના પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. કોલ્હાપુર શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. કોલ્હાપુર નજીકના આંબેવાડી અને ચિખલી ગાંવના લોકોએ સ્થળાંતર કરવાનો ઈનકાર કર્યો છે અને તેઓ પોતાના ઘરમાં જ રહી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લોકો પોતાના પશુઓ અને ઢોર ઢાખરને છોડી ઘર છોડવા માગતા નથી. જ્યાં સુધી પાણી નહી ઉતરે ત્યાં સુધી લોકો ઘર નહીં છોડવા મક્કમ છે..તો બીજીબાજુ કોલ્હાપુરમાં મોટાભાગના વિસ્તારો જળમગ્ન છે. લોકોની ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળે છે. તો ઘર અને દૂકાનમાં ઘૂટણ સમા પાણી ભરાયા છે. કોલ્હાપુરના લોકોનો આક્ષેપ છે કે અંહી રાહત કામગીરી ધીમી ચાલી રહી છે..તંત્ર તરફથી જે પણ મદદ મળી રહી છે તે પૂરતી નથી. રેસ્ક્યૂ કામગીરી પ્રત્યે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
[yop_poll id=”1″]