AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra School Opening : મહારાષ્ટ્ર સરકારના આદેશ વિરુદ્ધ ખુલી અનેક શાળાઓ, જાણો શા માટે અંગ્રેજી શાળાઓના સંગઠને કર્યો બળવો

મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશન (મેસ્ટા) એ ઔરંગાબાદના ગ્રામીણ ભાગોમાં લગભગ 250 શાળાઓ શરૂ કરવાનો દાવો કર્યો છે. મેસ્ટા પ્રમુખ સંજય તાયડે પાટીલના જણાવ્યા અનુસાર, નાગપુરમાં પણ 30 થી 40 શાળાઓ ખોલવામાં આવી હતી.

Maharashtra School Opening : મહારાષ્ટ્ર સરકારના આદેશ વિરુદ્ધ ખુલી અનેક શાળાઓ, જાણો શા માટે અંગ્રેજી શાળાઓના સંગઠને કર્યો બળવો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:08 PM
Share

કોરોના સંક્રમણ (Corona) પર નિયંત્રણ લાવવા અને વિદ્યાર્થીઓને તેનાથી સુરક્ષિત રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રાજ્યમાં શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ રહી જાય છે. આ તર્કના આધારે મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશને (MESTA) શાળા શરૂ કરવાની મંજૂરી માંગી હતી. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો 17 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની પણ આ સંગઠને ચેતવણી આપી હતી.

જ્યારે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, ત્યારે સોમવારે (17 જાન્યુઆરી) વિવિધ શહેરો અને ગામડાઓમાં મેસ્ટા સાથે સંકળાયેલી કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી.

મેસ્ટાના પ્રમુખ સંજય તાયડે પાટીલે (Sanjay Tayde Patil) ઔરંગાબાદના ગ્રામીણ ભાગોમાં લગભગ 250 શાળાઓ શરૂ કરવાનો દાવો કર્યો છે. તેમના દાવા મુજબ નાગપુરમાં પણ 30 થી 40 શાળાઓ ખોલવામાં આવી હતી. મેસ્ટા તરફથી કહેવામાં આવ્યું છે કે વિવિધ શહેરોમાં કેટલી શાળાઓ ખોલવામાં આવી તેની વિગતો ટૂંક સમયમાં આપવામાં આવશે.

મેસ્ટાના પ્રમુખે શાળા ખોલવાની તરફેણમાં આપી આ દલીલ

શાળા ખોલવાના સમર્થનમાં, મેસ્ટા સંગઠનના સ્થાપક પ્રમુખ ડૉ. સંજય તાયડે પાટીલે જણાવ્યું હતું કે, “જાહેરાત મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ શરૂ થઈ છે. શહેરી ભાગોમાં પણ આઠમા ધોરણથી ઘણી શાળાઓ શરૂ કરવામાં આવી છે. કેટલીક શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

આ મુદ્દે સાંસદ સુપ્રિયા સુલેએ પણ અમારી સાથે ફોન પર વાતચીત કરી છે. તેમણે સરકારને પોતાનો અભિપ્રાય આપ્યો છે કે રાજ્યમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આશ્વાસન આપ્યું છે કે શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવશે.

મુંબઈ-દિલ્હી જેવા શહેરોમાં કોરોનાની સ્થિતિ ઠંડી, 15 દિવસમાં ખુલી શકે છે શાળાઓ

જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં કોરોના પોઝિટિવ રેટમાં ઘટાડો થયો છે. જેના કારણે શાળા શરૂ થવાની આશા વધી છે. જો કે, વધતા કોરોના સંક્રમણને જોતા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે આગામી 15 દિવસમાં સ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એવા સ્થળોએ શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેશે જ્યાં કોરોનાના દર્દીઓ ઓછા જોવા મળશે.

આ પણ વાંચો :  Corona Vaccine on Omicron: ઓમિક્રોન પર આવી રહી પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રમાં પુણેમાં થઈ રહી છે તૈયારી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">