AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય

મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે  (Nitin Raut) મંગળવારે વીજળી બિલની ચુકવણી ન કરવાની સ્થિતિમાં ખેડૂતોના વીજ જોડાણ કાપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. એમણે એમ પણ કહ્યું કે જેમની વીજળી કપાઈ ગઈ છે, તેમનું કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવશે.

ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય
Opposition leader Devendra Fadnavis & Energy Minister Nitin Raut
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 7:41 PM
Share

મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાં  (Maharashtra Assembly Session) બીલ ન ચૂકવવાને કારણે ખેડૂતોના વીજ જોડાણ કાપી નાખવાના મહાવિકાસ આઘાડી સરકારના નિર્ણયનો ભાજપે આક્રમક વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis BJP) આ કાર્યવાહીને આકાશી આફતનો સામનો કરી રહેલા ખેડૂતો પર સુલતાની આફત ગણાવી હતી. આ મુદ્દે અત્યાર સુધી ચાર વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આખરે, મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે મંગળવારે વીજળી બિલની ચુકવણી ન કરવાની સ્થિતિમાં ખેડૂતોના વીજ જોડાણ કાપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો. એ પણ કહ્યું કે જેમની વીજળી કપાઈ ગઈ છે, તેમનું કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી એટલે કે જ્યાં સુધી પાકની કાપણી ન થાય ત્યાં સુધી બિલ ન ભરાય તો પણ જોડાણ યથાવત રહેશે.

નીતિન રાઉતે કહ્યું કે ખેડૂતોએ ત્રણ કરોડ ગ્રાહકો ધરાવતી સરકારી વીજ વિતરણ કંપની મહાવિતરણને 34,000 કરોડ રૂપિયાની રકમ ચૂકવી નથી. આ કારણે મહાવિતરણ પર  9,176 કરોડ રૂપિયાનું દેવું છે અને  20,268 કરોડ રૂપિયાની જવાબદારી છે. વીજળી બિલની ચૂકવણી ન થવાને કારણે, મહાવિતરણ તેની જવાબદારીઓ પૂરી કરવામાં અસમર્થ છે.

‘સંકટના સમયે સાથ આપ્યો, હવે ક્યાં સુધી વીજળીનું બિલ માફ થશે?’

નીતિન રાઉતે કહ્યું કે, મહાવિતરણના કર્મચારીઓએ કોવિડના સમયગાળા દરમિયાન, ચક્રવાતી તોફાનો દરમિયાન પણ દિવસ-રાત કામ કર્યું હતું. આ દરમિયાન મહાવિતરણના ઘણા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. ઘણા રાજ્યોમાં વીજ કાપ હતો, પરંતુ મહારાષ્ટ્રમાં વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો. મહાવિતરણ ખેડૂતો માટે વિચારે છે. પરંતુ ગ્રાહકોએ એ પણ વિચારવું જરૂરી છે કે મહાવિતરણના કર્મચારીઓનો ખર્ચ, મહાવિતરણને રોજના ધોરણે ચલાવવાનો ખર્ચ. બેંકોની જવાબદારીઓ કેવી રીતે પૂરી થશે? જો બિલ ચૂકવવામાં ન આવે. આ મુશ્કેલીઓ વર્ણવતા ઉર્જા મંત્રીએ વિપક્ષના કડક વલણ સામે નરમ પડતા ખેડૂતોના વીજ જોડાણ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. અને સ્પષ્ટ કર્યું હતું કે, આગામી ત્રણ માસ સુધી ખેડૂતોની વીજ બીલ નહીં ભરવાની સ્થિતિમાં પણ વીજળી નહી કાપવામાં આવે.

‘આઘાડી સરકાર ઝૂકી, ઝૂકાવવા વાળા જોઈએ’

ઉર્જા મંત્રી નીતિન રાઉતની આ જાહેરાત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ જાહેરાતને આવકારી છે. આ સાથે તેમણે મહા વિકાસ આઘાડી સરકાર પર કટાક્ષ કરતા એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘ઝૂકે છે અઘાડી સરકાર, ઝૂકાવવા વાળા જોઈએ. આખરે ગરીબ ખેડૂતોના હિત માટે મહાવિકાસ આઘાડી સરકારને ઝુકવું પડ્યું. ભાજપ ભવિષ્યમાં પણ એટલી જ તાકાત સાથે ખેડૂતોની સાથે ઉભી રહેશે.’

આ પણ વાંચો :  હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ લેનારાઓને લપડાક, વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">