ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય

મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે  (Nitin Raut) મંગળવારે વીજળી બિલની ચુકવણી ન કરવાની સ્થિતિમાં ખેડૂતોના વીજ જોડાણ કાપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. એમણે એમ પણ કહ્યું કે જેમની વીજળી કપાઈ ગઈ છે, તેમનું કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવશે.

ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય
Opposition leader Devendra Fadnavis & Energy Minister Nitin Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 7:41 PM

મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાં  (Maharashtra Assembly Session) બીલ ન ચૂકવવાને કારણે ખેડૂતોના વીજ જોડાણ કાપી નાખવાના મહાવિકાસ આઘાડી સરકારના નિર્ણયનો ભાજપે આક્રમક વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis BJP) આ કાર્યવાહીને આકાશી આફતનો સામનો કરી રહેલા ખેડૂતો પર સુલતાની આફત ગણાવી હતી. આ મુદ્દે અત્યાર સુધી ચાર વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આખરે, મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે મંગળવારે વીજળી બિલની ચુકવણી ન કરવાની સ્થિતિમાં ખેડૂતોના વીજ જોડાણ કાપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો. એ પણ કહ્યું કે જેમની વીજળી કપાઈ ગઈ છે, તેમનું કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી એટલે કે જ્યાં સુધી પાકની કાપણી ન થાય ત્યાં સુધી બિલ ન ભરાય તો પણ જોડાણ યથાવત રહેશે.

નીતિન રાઉતે કહ્યું કે ખેડૂતોએ ત્રણ કરોડ ગ્રાહકો ધરાવતી સરકારી વીજ વિતરણ કંપની મહાવિતરણને 34,000 કરોડ રૂપિયાની રકમ ચૂકવી નથી. આ કારણે મહાવિતરણ પર  9,176 કરોડ રૂપિયાનું દેવું છે અને  20,268 કરોડ રૂપિયાની જવાબદારી છે. વીજળી બિલની ચૂકવણી ન થવાને કારણે, મહાવિતરણ તેની જવાબદારીઓ પૂરી કરવામાં અસમર્થ છે.

‘સંકટના સમયે સાથ આપ્યો, હવે ક્યાં સુધી વીજળીનું બિલ માફ થશે?’

નીતિન રાઉતે કહ્યું કે, મહાવિતરણના કર્મચારીઓએ કોવિડના સમયગાળા દરમિયાન, ચક્રવાતી તોફાનો દરમિયાન પણ દિવસ-રાત કામ કર્યું હતું. આ દરમિયાન મહાવિતરણના ઘણા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. ઘણા રાજ્યોમાં વીજ કાપ હતો, પરંતુ મહારાષ્ટ્રમાં વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો. મહાવિતરણ ખેડૂતો માટે વિચારે છે. પરંતુ ગ્રાહકોએ એ પણ વિચારવું જરૂરી છે કે મહાવિતરણના કર્મચારીઓનો ખર્ચ, મહાવિતરણને રોજના ધોરણે ચલાવવાનો ખર્ચ. બેંકોની જવાબદારીઓ કેવી રીતે પૂરી થશે? જો બિલ ચૂકવવામાં ન આવે. આ મુશ્કેલીઓ વર્ણવતા ઉર્જા મંત્રીએ વિપક્ષના કડક વલણ સામે નરમ પડતા ખેડૂતોના વીજ જોડાણ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. અને સ્પષ્ટ કર્યું હતું કે, આગામી ત્રણ માસ સુધી ખેડૂતોની વીજ બીલ નહીં ભરવાની સ્થિતિમાં પણ વીજળી નહી કાપવામાં આવે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

‘આઘાડી સરકાર ઝૂકી, ઝૂકાવવા વાળા જોઈએ’

ઉર્જા મંત્રી નીતિન રાઉતની આ જાહેરાત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ જાહેરાતને આવકારી છે. આ સાથે તેમણે મહા વિકાસ આઘાડી સરકાર પર કટાક્ષ કરતા એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘ઝૂકે છે અઘાડી સરકાર, ઝૂકાવવા વાળા જોઈએ. આખરે ગરીબ ખેડૂતોના હિત માટે મહાવિકાસ આઘાડી સરકારને ઝુકવું પડ્યું. ભાજપ ભવિષ્યમાં પણ એટલી જ તાકાત સાથે ખેડૂતોની સાથે ઉભી રહેશે.’

આ પણ વાંચો :  હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ લેનારાઓને લપડાક, વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">