હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ લેનારાઓને લપડાક, વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન

વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું, 'આ ચૂકાદો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો (Article 19- Freedom of Expression) ખોટો ફાયદો ઉઠાવનારાઓ માટે થપ્પડ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે શૈક્ષણિક સંસ્થાઓના ડ્રેસ કોડનું પાલન ન કરો અને તમારી ઇચ્છા મુજબ તમારા કપડાં પસંદ કરો. 

હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ લેનારાઓને લપડાક, વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન
High Court's verdict in hijab case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:55 PM

હિજાબ મામલાને (Hijab Row) લઈને કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court) ની ડિવિઝન બેંચનો ચૂકાદો આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે હિજાબ ઈસ્લામનો જરૂરી ભાગ નથી. એમ કહીને હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધને પડકારતી અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પહેલા બેંગલુરુમાં 21 માર્ચ સુધી તમામ પ્રકારની રેલીઓ, આંદોલનો, પ્રદર્શનો અને તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણય સામે પોતાની અસંમતિ નોંધાવી છે અને આશા વ્યક્ત કરી છે કે અરજદારો ચોક્કસપણે આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. કર્ણાટક હાઈકોર્ટના આ નિર્ણય પર મહારાષ્ટ્રમાંથી પણ પક્ષ અને વિપક્ષમાંથી ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે.

પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવા માટે દમદાર રીતે કેસ લડીને ખ્યાતિ મેળવનાર મહારાષ્ટ્રના વરિષ્ઠ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આ નિર્ણયને આવકાર્યો છે. અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘કોઈએ આ નિર્ણય અન્યથા લેવો જોઈએ નહીં. અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે જો કોઈને લાગે છે કે આ નિર્ણયથી ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારો છીનવાઈ ગયા છે, તો તે અધિકારોની પણ પોતાની મર્યાદાઓ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ખોટો ફાયદો ઉઠાવનારાઓ માટે આ ચૂકાદો થપ્પડ સમાન છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે શૈક્ષણિક સંસ્થાઓના ડ્રેસ કોડનું પાલન ન કરો અને તમારી ઇચ્છા મુજબ કપડાં પસંદ કરો.

મહારાષ્ટ્રના બુદ્ધિજીવી મુસ્લિમોએ નિર્ણયને આવકાર આપ્યો, પ્રગતિની નિશાની ગણાવ્યો

મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ હુસૈન દલવાઈએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુસ્લિમોએ નક્કી કરવું પડશે કે શિક્ષણ જરૂરી છે કે હિજાબ? મુસ્લિમ સત્યશોધક સમાજના પ્રમુખ શમસુદ્દીન તંબોલીએ આ નિર્ણયને આવકાર્યો છે. તેણે કહ્યું કે ઘણા મુસ્લિમ દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ધર્મને અંગત રાખો, તેને જાહેર સ્થળો પર થોપશો નહીં-ભાજપ પ્રદેશ અધ્યક્ષ

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે ધર્મને વ્યક્તિના અંગત જીવન સુધી સીમિત રાખવો જોઈએ. તેને જાહેર જીવનમાં લાદવાની જીદને વળગી રહેવું જોઈએ નહીં. દરેક વ્યક્તિએ આ રીતે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. જાહેર સ્થળોએ હિજાબ પહેરવાની જરૂર નથી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જામીન નામંજૂર, મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતનો નિર્ણય

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">