શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ

ગૃહમંત્રી દિલીપ પાટીલે જાસુસી અંગે સફાઈ આપતા જણાવ્યુ હતુ કે, "સરકારે પોલીસ અથવા રાજ્યના ગુપ્તચર વિભાગને સમીર વાનખેડેનો પીછો કરવા માટે કોઈ આદેશ આપ્યો નથી."

શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 12:12 PM

Maharashtra:  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં ચાલી રહેલી તપાસનું નેતૃત્વ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર જાસૂસી કરવાના આરોપો પર મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ સ્પષ્ટતા આપી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલે (Home minister Dilip Patil) આ અંગે જણાવ્યુ કે, રાજ્ય સરકારે પોલીસ કે અન્ય કોઈ એજન્સીને NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ગતિવિધિઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો નથી.

શું સમીર વાનખેડેની જાસુસી કરવામાં આવી રહી છે ?

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓ મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને (Police Officers) મળ્યા હતા અને ફરિયાદ કરી હતી કે છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ પોલીસ અધિકારીઓ દ્વારા તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સોમવારે સમીર વાનખેડેએ પણ ડીજીપીને (DGP) ફરિયાદ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે બે પોલીસ અધિકારીઓ દ્વારા તેનો પીછો કરવામાં આવી રહ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગૃહમંત્રી પાટીલે કરી સ્પષ્ટતા

આ સમગ્ર મામલે ગૃહમંત્રી પાટીલે કહ્યું કે, સરકારે સમીર વાનખેડેનો પીછો કરવા માટે પોલીસ કે રાજ્યના ગુપ્તચર વિભાગને કોઈ આદેશ આપ્યો નથી.વધુમાં જણાવ્યુ કે, સમીરની ફરિયાદના આધારે તપાસ કરવા પણ જણાવ્યુ છે. ગૃહમંત્રીએ કહ્યું કે, મને નથી લાગતું કે પોલીસ તેના પર નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના(Narcotics Control Bureau)  અન્ય એક અધિકારીએ સોમવારે દાવો કર્યો હતો કે ઓશિવારા પોલીસ સ્ટેશનના (Police station) બે અધિકારીઓએ કથિત રીતે તે વિસ્તારમાં એક કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં સમીર વાનખેડેની માતાને દફનાવવામાં આવી હતી. આ સાથે જ જાસુસી અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે જણાવ્યુ કે, વાનખેડે નિયમિતપણે જે કબ્રસ્તાનની મુલાકાત લે છે.ત્યાં તેનો પીછો કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઉપરાંત કબ્રસ્તાનના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે.વાનખેડે પોતાની ફરિયાદ સાથે સીસીટીવી ફૂટેજના પુરાવા પણ રજૂ કર્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે મુંબઈ NCB ટીમના અન્ય અધિકારીઓને ‘ટ્રેક’ (Track) કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Aryan Khan Drugs Case: આર્યન ખાનને જામીન મળશે કે નહીં ! અરજી પર આજે સુનાવણી, NCB વિરોધ કરશે

આ પણ વાંચો : સરકારી કામ માટે પોતાના જુનિયર અધિકારી પાસે લાંચ માંગી રહ્યો હતો સિનિયર ફોરેસ્ટ અધિકારી, ACBના હાથે ઝડપાયો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">