ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને સચિન વાજે CBIની કસ્ટડીમાં, જામીન અરજી પર 8 એપ્રિલે થશે સુનાવણી

|

Apr 01, 2022 | 7:36 PM

EDએ આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 51 લોકોના નિવેદન નોંધ્યા છે. આમાં ઘણા IAS, IPS અધિકારીઓ, CA, રાજકારણીઓ અને બાર માલિકોનો સમાવેશ થાય છે. 25 માર્ચે, કોર્ટે EDને દેશમુખ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને સચિન વાજે CBIની કસ્ટડીમાં, જામીન અરજી પર 8 એપ્રિલે થશે સુનાવણી
Sachin Vaze & Anil Deshmukh (File Photo)

Follow us on

સીબીઆઈ આજે ભ્રષ્ટાચારના (Corruption Case) કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સચિન વાઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લેશે. બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) આ કેસમાં દેશમુખની જામીન અરજી પર 8મી એપ્રિલે સુનાવણી કરશે. 25 માર્ચે, કોર્ટે દેશમુખ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી પર જવાબ આપવા માટે EDને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. અનિલ દેશમુખને અગાઉ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, 100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી તેની ચાર્જશીટમાં કહ્યું હતું કે દેશમુખ 1992થી તેમના પદનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.
અનિલ દેશમુખે 1992થી પોતાના પદનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે ગેરકાયદેસર માધ્યમથી અઢળક પૈસા અને સંપત્તિ બનાવી છે. 13 કંપનીઓમાં ગેરકાયદેસર રીતે મેળવેલ નાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કંપનીઓ તેમના પુત્રો અથવા તેમના નજીકના સહયોગીઓની માલિકીની છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તેમની સાથે ઘણા સરકારી કર્મચારીઓ પણ જોડાયેલા હતા અને તેઓ તેમને કામ કરાવતા હતા.

51 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા

EDએ આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 51 લોકોના નિવેદન નોંધ્યા છે. આમાં ઘણા IAS, IPS અધિકારીઓ, CA, રાજકારણીઓ અને બાર માલિકોનો સમાવેશ થાય છે. ચાર્જશીટ મુજબ, મુંબઈ પોલીસના બરતરફ અધિકારી સચિન વાજેએ તેમના નિવેદનમાં EDને કહ્યું છે કે દેશમુખે 16 વર્ષના સસ્પેન્શન પછી મુંબઈ પોલીસમાં તેમને ફરજ પર પાછા લેવા માટે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

ઘણા રાજકારણીઓ નોકરીમાં પાછા લેવાના નિર્ણયની વિરુદ્ધ  હતા

Next Article