Maharashtra : સોલાપુરમાં ગમખ્વાર અકસ્માત, દેવદર્શને જઈ રહેલા 4 ભક્તોના ઘટનાસ્થળે મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Maharashtra : સોલાપુરમાં ગમખ્વાર અકસ્માત, દેવદર્શને જઈ રહેલા 4 ભક્તોના ઘટનાસ્થળે મોત
Accident In Solapur (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 1:36 PM

Maharashtra :  મહારાષ્ટ્રના સોલાપુર-પુણે(Solapur-Pune Highway)  રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડી ગામ નજીક ભક્તોને લઈ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે ઓવરલોડ ટ્રક અથડાઈ (Accident) હતી. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકો ઉસ્માનાબાદ જિલ્લાના કદમવાડી ગામના રહેવાસી હતા.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

14 માર્ચના રોજ એકાદશી હોવાના કારણે આ તમામ લોકો ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે રવિવારે રાત્રિભોજન કરીને પંઢરપુર જવા રવાના થયા હતા. આ લોકો કોંડી ગામ નજીક રાહુટી વિસ્તારમાં પહોંચ્યા કે તરત જ પાછળથી આવી રહેલી સિમેન્ટની બોરીઓ ભરેલી ટ્રકનું ટાયર ફાટ્યું. જેના કારણે ડ્રાઈવરનું સંતુલન ખોરવાઈ ગયું અને ટ્રક ટ્રેક્ટર સાથે અથડાઈ. જેના કારણે ટ્રેક્ટરની બંને ટ્રોલી પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને એક 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમને જણાવી દઈએ કે, આ ટ્રેક્ટરમાં કુલ 22 લોકો સવાર હતા.અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ

આ અકસ્માતમાં તુકારામ સુદામ શિંદે (ઉંમર 13),જ્ઞાનેશ્વર દત્તાત્રય સાળુંખે (ઉંમર 14),ભગાબાઈ જરાસંદ મિસાલ (ઉંમર 60), અને જરાસંદ માધવ મિસાલ (ઉંમર 70)નુ નિધન થયુ છે.ઈજાગ્રસ્તોને સાલાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો.

બુલઢાણાના અકસ્માતમાં 5 લોકોના મોત

સોલાપુર બાદ બુલઢાણામાં પણ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માત બુલઢાણાના રાજા ગામ દેઉલ ગામ પાસે થયો હતો. બોલેરો કારમાં સવાર ભક્તો ખામગાંવ જાલના હાઈવે પર દેવ દર્શન માટે શેગાંવ જઈ રહ્યા હતા. પરંતુ બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને દેઉલગાંવ રાજા અને જાલનાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના સોમવારે સવારે 5.30 વાગ્યે બની હતી.

આ પણ વાંચો : ‘મહારાષ્ટ્ર સરકાર પાસે 9 દિવસ બાકી છે…’, દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ પોલીસ દ્વારા પુછપરછ બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષનું મોટુ નિવેદન

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">