AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મુંબઈ પોલીસે એવા પ્રશ્નો પૂછ્યા, જેથી મને આરોપી બનાવી શકાય’, બે કલાકની પૂછપરછ પછી ફડણવીસનું મોટું નિવેદન

ફડણવીસે કહ્યું, 'જો ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ તો તે મંત્રી નવાબ મલિક વિરુદ્ધ થવી જોઈએ. કારણ કે આ ગુપ્ત માહિતી નવાબ મલિકે મીડિયાને જણાવી હતી. મેં કેન્દ્રીય ગૃહ સચિવને માહિતી આપી હતી. જે રીતે હું સરકારના એક મંત્રીનું દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન બહાર લાવી રહ્યો છું, તેથી મારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

'મુંબઈ પોલીસે એવા પ્રશ્નો પૂછ્યા, જેથી મને આરોપી બનાવી શકાય', બે કલાકની પૂછપરછ પછી ફડણવીસનું મોટું નિવેદન
Devendra Fadnavis After Mumbai Police Examination
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 5:13 PM
Share

મહારાષ્ટ્રના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસની (Devendra Fadnavis) મુંબઈ પોલીસે આજે (રવિવાર, 13 માર્ચ) પૂછપરછ કરી હતી. ડીસીપી હેમરાજ સિંહ રાજપૂત અને એસીપી નીતિન જાધવના નેતૃત્વમાં મુંબઈ પોલીસની  (Mumbai Police)  ટીમ મલબાર હિલ સ્થિત તેમના વર્ષા બંગલે પહોંચી હતી.  12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બે કલાક સુધી ચાલેલી આ પૂછપરછ બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પૂછપરછ સાથે જોડાયેલા સવાલો વિશે માહિતી આપતા કહ્યું કે, ‘આજે મુંબઈ પોલીસની એક ટીમ મારી પાસે આવી હતી. 23 મે 2021ના રોજ, મેં ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડ સંબંધિત માહિતી કેન્દ્રીય ગૃહ સચિવને સોંપી.

મેં ગૃહ સચિવને ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મોટા કૌભાંડની તમામ માહિતી આપી હતી. આ પછી કેસની ગંભીરતાને જોતા કોર્ટે સીબીઆઈને તપાસની જવાબદારી સોંપી હતી. જ્યારે આ કેસમાં તથ્ય જાણવા મળ્યું ત્યારે જ CBI આ મામલાની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારે આ મહાકૌભાંડ કેમ થયું તે જાણવાનો પ્રયાસ કર્યો નથી. તેના બદલે, તે મહાકૌભાંડ સંબંધિત માહિતી કેવી રીતે લીક થઈ તેનો પ્રયાસ કરવામાં આવ્યો. ગઈ કાલે મને મુંબઈ પોલીસ તરફથી પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી હતી. અચાનક આવી નોટિસ આપવાનું કારણ એ છે કે હું મહા વિકાસ આઘાડી સાથે જોડાયેલા કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યો છું.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે કહ્યું હતું કે મુંબઈ પોલીસે દેવેન્દ્ર ફડણવીસને સમન્સ મોકલ્યું નથી. આ નોટિસ માત્ર એ જાણવા માટે મોકલવામાં આવી છે કે રાજ્ય સરકારની SIT સાથે જોડાયેલી ગુપ્ત માહિતી બહાર કેવી રીતે લીક થઈ. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘દિલીપ વાલ્સે પાટીલે જે કહ્યું તેમાં તફાવત એ છે કે મને ગઈ કાલે મોકલવામાં આવેલી પ્રશ્નાવલિ અને આજે પૂછવામાં આવેલા પ્રશ્નોમાં મોટો તફાવત છે. આજે સીઆરપીસી 160 હેઠળ પ્રશ્નો પૂછવામાં આવ્યા ન હતા. મને આજે એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનાથી એવું લાગતું હતું કે મેં ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આના આધારે, મને આરોપી અથવા સહ-આરોપી બનાવવાનો પ્રયાસ જોવા મળી રહ્યો હતો.

રાજ્ય સરકારે આ કૌભાંડને 6 મહિના સુધી દબાવી રાખ્યું એટલે મહાકૌભાંડ બહાર આવ્યું.

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, ‘મેં મારા પુરાવા મીડિયાને નથી આપ્યા. રાજ્ય સરકારને એટલા માટે નથી આપ્યા કારણકે, રાજ્ય સરકાર કૌભાંડ અંગે પગલાં લઈ રહી ન હતી. જો રાજ્ય સરકારના લોકો જ સામેલ હોય તો તેમને સોંપવાનો કોઈ અર્થ નથી. હું વિસલ બ્લોઅર છું. તેથી જ મને વિસલ બ્લોઅર બનવાનું રક્ષણ મળવું જોઈએ.  મેગા સ્કેમ સંબંધિત આ માહિતી હું બહાર નહીં લાવ્યો હોત તો તે બિલકુલ બહાર ન આવી હોત.

આ પણ વાંચો :  Maharashtra: કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર, આ મહીનામાં યોજાશે ચૂંટણી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">