AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મુંબઈ પોલીસ પર કોરોનાનુ ગ્રહણ, છેલ્લા 24 કલાકમાં 81 પોલીસકર્મીઓ થયા કોરોના સંક્રમિત

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એક જ દિવસમાં કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે,જ્યારે છેલ્લા 24 કલાકમાં 81 પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Maharashtra : મુંબઈ પોલીસ પર કોરોનાનુ ગ્રહણ, છેલ્લા 24 કલાકમાં 81 પોલીસકર્મીઓ થયા કોરોના સંક્રમિત
81 policeman infected from covid 19 in mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 11:53 AM
Share

Mumbai : મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં મુંબઈના 81 પોલીસકર્મીઓનો (Mumbai Police) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિત (Corona Case in mumbai) પોલીસકર્મીઓની કુલ સંખ્યા 1312 ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 126 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં

બીજી તરફ પૂણેમાં પણ શનિવારે 31 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે પુણેમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની કુલ સંખ્યા 465 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શનિવારે 10661 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરમાં હાલમાં 73518 એક્ટિવ કેસ છે.જો મહારાષ્ટ્રની (Maharashtra) વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 42462 નવા કેસ નોંધાયા છે અને 23 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 2,64,441 એક્ટિવ કેસ છે. બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનના 125 નવા કેસ નોંધાતા કુલ આંકડો 1730 પર પહોંચ્યો છે.

21 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના કારણે 11 લોકોના મોત પણ થયા છે. આ આંકડાઓના પર એક નજર કરીએ તો શહેરમાં 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દરરોજ અગિયાર હજારથી 14 હજાર કોરોના કેસ નોંધાયા છે. જો કે, 12 જાન્યુઆરીએ 16 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી શહેરમાં કોરોનાના કેસ 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા.જો કે રાહતની વાત એ છે કે શનિવારે 21 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

કોરોનાની રફ્તાર યથાવત

મુંબઈના ધારાવી વિસ્તારની વાત કરીએ તો શનિવારે અહીં 40 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે દાદરમાં 120 અને માહિમમાં 126 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. આ ત્રણ વિસ્તારોમાં કુલ 286 કોરોના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં અત્યાર સુધીમાં 8 લાખ 99 હજાર 358 લોકો કોરોનાથી સાજા થયા છે. જેથી રિકવરી રેટ સુધરીને 91 ટકા પર પહોંચ્યો છે. હાલમાં મુંબઈમાં કુલ એક્ટિવ કેસ 73 હજાર 518 છે. પુણેમાં શનિવારે 5 હજાર 705 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">