AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1152 કેસ આવ્યા, 4ના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે ચિંતાજનક સ્થિતિ પ્રવર્તે છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો વધારો નોંધાયો છે તો દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના નવા કેસોમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે.

Covid 19: મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1152 કેસ આવ્યા, 4ના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 8:05 PM
Share

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના 1152 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ મહારાષ્ટ્રમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે. ગઇકાલના કેસની વાત કરીએ તો ગુરુવારે 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાથી 01 દર્દીનું મોત થયું હતું. કોરોના ન્યુઝ અહીં વાંચો.

મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ સામે આવ્યા

બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે સાંજે જાહેર કરવામાં આવેલા રાજ્યના આરોગ્ય અહેવાલ મુજબ, મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 806 લોકોના કોરોના સંક્રમણ પણ સાજા થયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 5928 છે. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈમાં કોરોનાના 1635 સક્રિય કેસ છે.

દિલ્હીમાં પણ કોરોનાની ચિંતાજનક સ્થિતિ

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના નવા કેસોમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1527 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કોરોનાનો ચેપ દર 27.77 ટકા છે. છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત પણ થયા છે. દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3962 થઈ ગઈ છે.જો કે, દિલ્હી સરકારના આ હેલ્થ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દર્દીના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના છે. અન્યના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: KCRએ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર

રાજ્ય સરકારો કોરોનાને લઈને એલર્ટ

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને તમામ રાજ્યો તેમના સ્તરે એલર્ટ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કોરોનાને લઈને એક અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. લખનૌ પ્રશાસને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે. આ સાથે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીના લોકોને ફેસ માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે જો કોરોનાને હરાવવો હોય તો સૌથી પહેલા લોકોએ સજાગ રહેવું પડશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">