પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ નથી આપી રહ્યાં તપાસમાં સહકાર, ED કરશે હાઈકોર્ટમાં અપીલ

મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા સંભવીત ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી અંગે કોર્ટ શું નિર્ણય લે છે તે પણ મહત્વનું છે. પરંતુ, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ નથી આપી રહ્યાં તપાસમાં સહકાર, ED કરશે હાઈકોર્ટમાં અપીલ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 7:31 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate- ED) આવતીકાલે (26 જુલાઈ, સોમવારે) સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે કે મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને કોઈ રાહત આપવામાં ના આવે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 26 જુલાઈ એ, ઇડી ઉચ્ચ અદાલતને જાણ કરશે કે અનિલ દેશમુખ અને તેમનો પરિવારને સમન્સ પાઠવવામાં  આવ્યા છે  છતાં પણ તેઓ તપાસમાં હાજર થતાં નથી. અનિલ દેશમુખને ત્રણ વાર સમન્સ પાઠવવામાં  આવ્યા છે, પરંતુ તેઓ એક વાર પણ હાજર થયાં નથી.

આ સાથે જ ઈડી એ પણ જાહેર કરશે કે, સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ તલોજા જેલમાં નોંધાયેલા નિવેદનમાં એ પુષ્ટિ આપી છે કે તેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વતી પૈસા એકઠાં કર્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઇડીએ ગેરકાયદેસર આવક તરીકે અનિલ દેશમુખ અને તેના પરિવારની કુલ 4.7 કરોડની સંપત્તિ શોધી કાઢી છે. ઈડી કોર્ટને જણાવશે કે,  બાર માલીકો પાસેથી જબરજસ્તીથી વસુલવામાં આવેલા નાણાંને ખોટી અને ઉભી કરેલી મોટી કંપનીઓને આપવામાં આવ્યા અને પછી નાગપુર સ્થિત એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરાયા હતાં.

આવી પરિસ્થિતિમાં ઇડી કોર્ટને અપીલ કરશે કે દેશમુખ અથવા તેના પરિવારને કોઈ રાહત ન આપવામાં આવે.

ઈડી દ્વારા સંભવિત ધરપકડ ટાળવા અનિલ દેશમુખ પહોચ્યાં કોર્ટ

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ત્રણ અઠવાડિયા પહેલા ઇડી દ્વારા સંભવિત ધરપકડ ટાળવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

તેણે મની લોન્ડરિંગ કેસમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં કોઈપણ કાર્યવાહીને રોકવા અદાલતને વિનંતી કરી હતી. ઇડીએ દેશમુખને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ દેશમુખે તેની તબિયતનું બહાનું આપીને તે ટાળી હતી.

કોર્ટે મહારાષ્ટ્ર સરકારે કરેલી બીજી અપીલ અંગે નિર્ણય લેવાનો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાંથી મહારાષ્ટ્ર સરકારે બે ફકરાઓને દૂર કરવાની અપીલ કરી છે. સરકારનું માનવું છે કે સરકારને અસ્થિર કરવાના હેતુથી આ ફકરા ઉમેરવામાં આવ્યા છે. આ એફઆઈઆર પછી અનિલ દેશમુખે નૈતિક કારણોસર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ પછી, બોમ્બે હાઈકોર્ટે પરબીરસિંહે આરોપ લગાવેલા 100 કરોડ રૂપિયાની ખંડણી કેસની પ્રાથમિક તપાસ કર્યા બાદ સીબીઆઈને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. સીબીઆઈએ અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી.

અગાઉ હાઇકોર્ટે સીબીઆઈ(CBI) દ્વારા દાખલ એફઆઈઆર(FIR) રદ કરવાનો કર્યો હતો ઇનકાર 

મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા સંભવીત ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી અંગે કોર્ટ શું નિર્ણય લે છે તે પણ મહત્વનું છે. પરંતુ, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશમુખે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમની ઉપર ચાલી રહેલી સીબીઆઈ તપાસને રદ કરવાની માંગ કરી છે.

હાઈકોર્ટે અપીલ દાખલ કરવા માટે સમય આપવા માટે ચુકાદા પર રોક લગાવવાની દેશમુખની વિનંતી પણ ફગાવી દીધી હતી. દેશમુખે એવી દલીલ પણ કરી હતી કે તેમની વિરુદ્ધ ચાલી રહેલી સીબીઆઈ તપાસ ગેરકાયદેસર છે કારણ કે કેન્દ્રીય એજન્સીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર સરકારની પૂર્વ મંજૂરી લીધી ન હતી.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપો બાદ વકીલ જયશ્રી પાટિલની ફરિયાદ પરથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Budget 1991: 30 વર્ષ પહેલા ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો અને દેશના અર્થતંત્રને આપ્યો હતો આર્થિક વેગ

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">