AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ, તપાસને પ્રભાવિત કરવાનો આરોપ

CBIએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, "તપાસને પ્રભાવિત કરવાના આરોપસર વકીલ આનંદ ડાગા અને સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. "

Maharashtra : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ, તપાસને પ્રભાવિત કરવાનો આરોપ
Anil Deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:22 AM
Share

Maharashtra : અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વકીલ પર તપાસને પ્રભાવિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  CBI એ બુધવારે સબ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીની પણ ધરપકડ કરી હતી. આ સાથે જ દિલ્હી અને અલ્હાબાદમાં તેના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઉપરાંત CBI દ્વારા અનિલ દેશમુખના જમાઈ અને  તપાસનો સત્તાવાર અહેવાલ લીક કરવાના સંદર્ભમાં એજન્સીના સબ-ઇન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશમુખે તેમના વતી લાંચ વસૂલવા માટે સબ-ઇન્સ્પેક્ટર પર દબાણ કર્યુ હતુ. CBIએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “તપાસને પ્રભાવિત કરવાના આરોપસર આનંદ ડાગા અને સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ”

અનિલ દેશમુખના જમાઈની CBI દ્વારા અટકાયત,20 મિનીટની પૂછપરછ બાદ છુટકારો

અગાઉ અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીની CBI દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જો કે પુછપરછ બાદ CBI દ્વારા તેમને છોડવામાં આવ્યા હતા.ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગા પર સીબીઆઈના અધિકારીને લાંચ આપવાનો, તપાસ અહેવાલોની હેરફેર અને તપાસને લીક કરવાનો આરોપ છે.

પરિવારે અપહરણનો લગાવ્યો આરોપ 

દેશમુખના પરિવારે આરોપ લગાવ્યો છે કે  તપાસ અને પૂછપરછ માટે પ્રથમ નોટિસ આપવામાં આવે છે. પરંતુ સીબીઆઈ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી.જો કે ડો.ગૌરવ ચતુર્વેદીને 20 મિનટની પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યો હતો.

સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારીની પણ ધરપકડ કરવામાં આવી 

અનિલ દેશમુખની કાનૂની ટીમ સાથે જોડાયેલા અધિકારી અભિષેક તિવારીની પણ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા હાલ તેમની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Maharashtra : મંદિર ખોલવા માટે પ્રદર્શન ! BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ

આ પણ વાંચો:  Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">