AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ, તપાસને પ્રભાવિત કરવાનો આરોપ

CBIએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, "તપાસને પ્રભાવિત કરવાના આરોપસર વકીલ આનંદ ડાગા અને સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. "

Maharashtra : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ, તપાસને પ્રભાવિત કરવાનો આરોપ
Anil Deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:22 AM
Share

Maharashtra : અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વકીલ પર તપાસને પ્રભાવિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  CBI એ બુધવારે સબ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીની પણ ધરપકડ કરી હતી. આ સાથે જ દિલ્હી અને અલ્હાબાદમાં તેના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઉપરાંત CBI દ્વારા અનિલ દેશમુખના જમાઈ અને  તપાસનો સત્તાવાર અહેવાલ લીક કરવાના સંદર્ભમાં એજન્સીના સબ-ઇન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશમુખે તેમના વતી લાંચ વસૂલવા માટે સબ-ઇન્સ્પેક્ટર પર દબાણ કર્યુ હતુ. CBIએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “તપાસને પ્રભાવિત કરવાના આરોપસર આનંદ ડાગા અને સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ”

અનિલ દેશમુખના જમાઈની CBI દ્વારા અટકાયત,20 મિનીટની પૂછપરછ બાદ છુટકારો

અગાઉ અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીની CBI દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જો કે પુછપરછ બાદ CBI દ્વારા તેમને છોડવામાં આવ્યા હતા.ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગા પર સીબીઆઈના અધિકારીને લાંચ આપવાનો, તપાસ અહેવાલોની હેરફેર અને તપાસને લીક કરવાનો આરોપ છે.

પરિવારે અપહરણનો લગાવ્યો આરોપ 

દેશમુખના પરિવારે આરોપ લગાવ્યો છે કે  તપાસ અને પૂછપરછ માટે પ્રથમ નોટિસ આપવામાં આવે છે. પરંતુ સીબીઆઈ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી.જો કે ડો.ગૌરવ ચતુર્વેદીને 20 મિનટની પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યો હતો.

સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારીની પણ ધરપકડ કરવામાં આવી 

અનિલ દેશમુખની કાનૂની ટીમ સાથે જોડાયેલા અધિકારી અભિષેક તિવારીની પણ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા હાલ તેમની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Maharashtra : મંદિર ખોલવા માટે પ્રદર્શન ! BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ

આ પણ વાંચો:  Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">