Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો

દેશમુખના પરિવારે ડો.ચતુર્વેદીના અપહરણનો આરોપ લગાવ્યો છે. દેશમુખ પરિવારનો આરોપ છે કે ડો.ચતુર્વેદી અને તેમના વકીલને કોઈ માહિતી આપ્યા વગર જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો
અનિલ દેશમુખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 12:22 AM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીને સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા. પરંતુ દેશમુખના પરિવારે ડો.ચતુર્વેદીનુ અપહરણ થયાનો આરોપ લગાવ્યો છે. દેશમુખ પરિવારનો આરોપ છે કે ડો.ચતુર્વેદી અને તેમના વકીલને કોઈ માહિતી આપ્યા વગર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

હવે ડો.ગૌરવ ચતુર્વેદીને CBI દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. પણ આ પહેલા સીબીઆઈએ તેમની 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. છોડતાં પહેલા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. તેમના વકીલની પૂછપરછ ચાલુ છે.

દેશમુખના પરિવારનો આરોપ છે કે આ પ્રકારની તપાસ અને પૂછપરછ માટે પહેલાં નોટિસ આપવામાં આવે છે. પરંતુ સીબીઆઈ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ પહેલાં, અનિલ દેશમુખની પુત્રવધૂ રાહત દેશમુખે આરોપ લગાવ્યો હતો કે તેના વરલી સ્થીત ઘરની નીચે 8 થી 10 લોકો સાદી વર્દીમાં ઈનોવા કાર લઈને આવ્યા અને ડૉ. ચતુર્વેદીને પોતાની સાથે લઈ ગયા.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

તેઓ ક્યાં ગયા તેની કોઈ જાણકારી ન હતી. તેમનો ફોન પણ લાગતો ન હતો. કારણ કે તેમને સાથે લઈ જતા પહેલા તેઓએ ડો.ચતુર્વેદીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો.

સીબીઆઈ અધિકારીઓએ 20 -22 મિનિટની પુછતાછ પછી ડૉ. ચતુર્વેદીને છોડી દીધા હતા. જો કે , આ પહેલા  દેશમુખના જણાવ્યા અનુસાર તે અને તેમનો પરીવાર ડૉ. ચતુર્વેદીને શોધી રહ્યા હતા. તે  આ ઘટનાને લઈને વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવા માટે પણ પહોચ્યા હતા. આ ઘટના સાંજે 6 વાગે બની હતી.

અનિલ દેશમુખના વકીલની પૂછપરછ શરૂ, સીબીઆઈ રિપોર્ટ મીડિયા સમક્ષ લીક થયો

દરમિયાન, સીબીઆઈની ટીમે વધુ એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.  જે અનિલ દેશમુખની કાનૂની ટીમના સભ્ય છે. આ વ્યકિ્ત પર 100 કરોડ વસૂલાત કેસમાં દેશમુખ સામે ચાલી રહેલી પ્રાથમિક તપાસને ખોટી રીતે પ્રભાવિત (Manipulation) કરવાનો આરોપ છે.

29 ઓગસ્ટના રોજ, સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી પ્રાથમિક તપાસ સંબંધિત રિપોર્ટ મીડિયા સમક્ષ લીક થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે અનિલ દેશમુખ દ્વારા કોઈ ગંભીર ગુનો કરવામાં આવ્યો નથી. બાદમાં સીબીઆઈએ સ્પષ્ટતા કરવી પડી કે અનિલ દેશમુખ સામે તપાસ ચાલી રહી છે અને તેમને ક્લીન ચિટ આપવામાં આવી નથી.

સીબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું કે તેઓ સીબીઆઈના નીચલા ક્રમના અધિકારીઓને લાંચ આપીને માહિતી લીક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સીબીઆઈ તે અધિકારી કે એવા અધિકારીઓને પણ શોધી રહી છે જે અનિલ દેશમુખની કાનૂની ટીમ સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી સીબીઆઈ એ જાણી શકી નથી કે એક અધિકારી સંડોવાયેલો છે કે એકથી વધુ અધિકારી સામેલ છે.

સીબીઆઈના સૂત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે આવા સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીને 20-22 મિનિટની પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ દેશમુખના આ વકીલની ધરપકડ થઈ શકે છે.

100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ પર CBI અને ED ની તપાસ શરૂ 

CBI અને ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ 100 કરોડની વસૂલાત અને મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખની સામે તપાસ અને પૂછપરછ કરી રહી છે. ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, પરંતુ દેશમુખ એક વખત પણ પૂછપરછ માટે હાજર થયા નથી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા ત્યારે તેઓએ સચિન વાજે સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ  મુંબઈમાં બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસુલાત કરવા માટે કર્યો હતો.

આ પણ વાંચો :  Corona in Mumbai : ક્યાંક રાહત તો ક્યાંક આફત, મુંબઈમાં કોરોનાની આવી છે હાલત

આ પણ  વાંચો : Drugs Case :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો અરમાન કોહલી, ડ્રગ્સ મળ્યા બાદ થઈ હતી ધરપકડ

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">