Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મંદિર ખોલવા માટે પ્રદર્શન ! BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા માટે ભાજપ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સોમવારે ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પુણેના મેયર મુરલીધર મોહોલે શહેરમાં પ્રદર્શન કર્યું હતું, જેમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થતા તેના વિરુધ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Maharashtra : મંદિર ખોલવા માટે પ્રદર્શન ! BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ
Chandrakant Patil (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:30 AM

Maharashtra : પોલીસ દ્વારા રાજ્યના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ (BJP President Chandrakant Patil) અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ નેતાઓએ  30 ઓગસ્ટના રોજ રાજ્યમાં મંદિર ફરીથી ખોલવાની માગ સાથે પ્રદર્શન કર્યુ હતુ, જેમાં કોરોના નિયમોનું (Covid guidelines) ઉલ્લંઘન થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં મંદિરો એક વર્ષથી વધુ સમયથી બંધ છે. ભાજપ હવે રાજ્યમાં મંદિર ફરીથી (Temple Reopen) ખોલવા માટે પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં ભાજપ દ્વારા રાજ્યભરના મુખ્ય મંદિરોમાં ઘંટ અને શંખની વગાડીને મંદિરોના દરવાજા ખોલવાની માગ કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં કરવામાં આવ્યા દેખાવો

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

ભાજપે સોમવારે રાજ્યમાં મંદિરો ખોલવા માટે મુંબઈ, થાણે, પુણે, નાસિક, નાગપુર, પંઢરપુર, ઔરંગાબાદ અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિરોધ દરમિયાન સરકારનું ધ્યાન ખેંચવા માટે ઘંટ અને શંખ વગાડ્યા. આ દરમિયાન ઘણા ભાજપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ભાજપના વિરોધ બાદ પણ સરકાર કોરોનાના સંભવિત ત્રીજી લહેરને (Corona Third Wave) ધ્યાનમાં રાખીને મંદિર ન ખોલવા માટે મક્કમ છે.

ભાજપે સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો

પુણેમાં શંખનાદ પ્રદર્શનનું નેતૃત્વ કરતી વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે મંદિરો બંધ રાખવા માટે સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે “મંદિરો બંધ રાખવા અને દારૂની દુકાનો ખુલ્લી રાખવી કેટલી યોગ્ય છે?”

અન્ના હજારેએ ટેકો આપ્યો

આ સાથે જ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ (Anna Hazare) પણ થોડા દિવસો પહેલા મંદિર ન ખોલવા બદલ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મંદિર કેમ નથી ખોલી રહી ? રાજ્ય સરકાર માટે શું ખતરો છે ? જો કોરોનાને કારણે મંદિરો ન ખોલવામાં આવે અને દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનો લાગે એ કેવો તર્ક છે, સાથે તાજેતરમાં અન્ના હજારેએ મંદિરો પરથી પ્રતિબંધ હટાવવા માટે ભાજપના પ્રદર્શનને (Protest) ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: Corona in Maharashtra : આ દેશોમાંથી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત, 3 સપ્ટેમ્બરથી નિયમો લાગુ

આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">