મહારાષ્ટ્ર સરકાર થોડા દિવસોની મહેમાન, તે મારૂ કંઈ બગાડી નહીં શકે: નારાયણ રાણે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નારાયણ રાણેની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. જોકે મોડી રાત્રે મલાડ કોર્ટમાં સુનાવણી બાદ તેમને જામીન મળી ગયા હતા. આજે (બુધવારે) બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને રાણે સામે કાર્યવાહી કરવાથી રોકી હતી.

મહારાષ્ટ્ર સરકાર થોડા દિવસોની મહેમાન, તે મારૂ કંઈ બગાડી નહીં શકે: નારાયણ રાણે
Narayan Rane (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:21 PM

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Union Minister Narayan Rane) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) થપ્પડ મારવાના નિવેદન પર જે વિવાદ થયો હતો, તેને લઈને આજે ​​(25 ઓગસ્ટ, બુધવારે) એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમની ધરપકડ અને જામીન મુદ્દે તેમણે બોમ્બે હાઈકોર્ટ અને મહાડ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નારાયણ રાણેની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. જોકે મોડી રાત્રે મહાડ કોર્ટમાં સુનાવણી બાદ તેને જામીન મળી ગયા હતા. આ પછી આજે બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને પણ રાણે સામે કોઈ કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી. આજે આ સમગ્ર મામલે નારાયણ રાણેએ શિવસેના પર પ્રહાર કર્યા હતા.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નારાયણ રાણેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે હાઈકોર્ટે મારી તરફેણમાં વાત કરી છે. હું આનાથી વધારે કેસ વિશે કંઈ નહીં કહું. મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા હતા, તેમાં કોર્ટનો નિર્ણય મારી તરફેણમાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટ અને મહાડ કોર્ટ બંનેએ મારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ સાબિત કરે છે કે સત્યનું શાસન હજુ પણ પ્રવર્તે છે. આ દરમિયાન મીડિયાએ પણ મારી ભલમનસાઈનો લાભ લીધો. પરંતુ મારી પાર્ટી મારી સાથે ઉભી રહી.”

મુખ્યમંત્રીએ થોબડું ફોડવાનું નિવેદન આપ્યું, તેનું શું?

મેં એવું શું કહ્યું? મને મારા દેશ પર ગર્વ છે. આ ગૌરવને કારણે મેં તે કહ્યું તે શિવસેનાના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથનું થોબડું તોડવાની વાત કરી હતી. કહ્યું કે તેમને ચપ્પલથી મારવા જોઈએ. ‘થોબડું તોડવું, ચપ્પલ મારવું’ એ વાત કરવી ગુનો નથી? તમે મારુ કંઈપણ નુકસાન કરી નહીં શકો. ”

‘ફરી જન આર્શીવાદ યાત્રા શરૂ કરીશ’

આગળ નારાયણ રાણેએ કહ્યું પીએમ મોદીને મારામાં વિશ્વાસ છે. તેમની સૂચનાથી મેં જન આર્શીવાદ યાત્રા શરૂ કરી. જનતાને આ માટે ઘણો સહકાર મળી રહ્યો હતો, તેથી વિપક્ષે આવી રમત રમી. જ્યારે હું મારા પુત્રો સાથે ઘરે નહોતો ત્યારે શિવસેના મારા ઘરની બહાર આંદોલન કરી રહી હતી. મારી જન આર્શીવાદ યાત્રા પરમ દિવસથી ફરી શરૂ થઈ રહી છે. આ સરકાર થોડા દિવસની મહેમાન છે.

તેમણે વધુમાં કહ્યું કે તેઓ કેબિનેટ મંત્રી અનિલ પરબ સામે ફરિયાદ નોંધાવશે. મારી ધરપકડ અંગે પોલીસને જે રીતે સૂચના આપી રહ્યા હતા તે તમે બધાએ જોયું. હું કોર્ટમાં અનિલ પરબ સામે કેસ દાખલ કરીશ. મારી પાસે અનિલ પરબનો તમામ હિસાબ છે.

‘જો હું ગેંગસ્ટર હતો તો મને મુખ્યમંત્રી કેમ બનાવ્યો? હું સંજય રાઉતને યોગ્ય જવાબ આપીશ

આગળ નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે યાદ રાખો કે તમને પણ બે પુત્રો છે. હું તારાથી ડરતો નથી. સંજય રાઉતે લખેલા તંત્રી લેખ પર પુછવામાં આવેલા સવાલ પર નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ખુશ કરવા માટે જ સંજય રાઉત લખે છે. તે તંત્રી બનવાને લાયક નથી. તેઓ મને ગુંડા કહે છે. જો હું ગેંગસ્ટર હતો તો શિવસેનાએ મને મુખ્યમંત્રી કેમ બનાવ્યો? તેનો અર્થ શિવસેનામાં બધા ગુંડાઓ છે? હું તેમને 17 સપ્ટેમ્બર પછી તેમને જવાબ આપીશ. 17 સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી છે, માટે અત્યારે બોલવું ઠીક નથી.

આ પણ વાંચો : Maharashtra: નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, નાસિક પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા, આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">