AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી,100 કરોડના વસૂલી કેસમાં અનિલ દેશમુખને CBIનું તેડુ

Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) CBI દ્વારા આજે પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.100 કરોડના વસૂલી કેસમાં (100 crore case) અનિલ દેશમુખને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી,100 કરોડના વસૂલી કેસમાં અનિલ દેશમુખને CBIનું તેડુ
CBI gets custody of Anil deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 1:58 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) આજે CBI દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 100 કરોડના વસૂલી કેસમાં (100 Crore Case) પૂછપરછ માટે અનિલ દેશમુખને CBIએ કસ્ટડીમાં લીધા છે. CBI તેને થોડીવારમાં મુંબઈની આર્થર રોડ જેલમાંથી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે. અગાઉ, સીબીઆઈએ અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પલાંડેને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. CBIએ તળોજા જેલમાંથી બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને (Sachin Vaze) પણ કસ્ટડીમાં લીધા છે. 100 કરોડના વસૂલી કેસમાં આ તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

CBIએ અનિલ દેશમુખને તેમની સાથે કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ આ દરમિયાન આર્થર રોડ જેલમાં (Arthar Jail) દેશમુખની તબિયત બગડી હતી. આ પછી તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ખભા પર સર્જરી કરવામાં આવી હતી. જો કે ગઈ કાલે તેમને જેજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે આજે CBIએ તેને આર્થર રોડ જેલમાંથી પોતાની કસ્ટડીમાં લીધા છે.

પરમબીર સિંહે 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh)  મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને (Cm Uddhav Thackeray) લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ગૃહ પ્રધાન તરીકે સચિન વાઝે સહિતના પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કર્યો હતો. તેઓએ તેમને મુંબઈના રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડની વસૂલાત કરવા માટે કહ્યુ હતુ. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

અગાઉ અનિલ દેશમુખે વિસ્ફોટકથી ભરેલું વાહન એન્ટિલિયા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર રાખવાનો અને પછી તે વાહનના માલિક મનસુખ હિરેનનું મૃત્યુ થવાના કેસને હાથ ન ધરવા બદલ પરમબીર સિંહને પદ પરથી હટાવ્યા હતા. આ પછી પરમબીર સિંહે તેમના પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો. બાદમાં હાઈકોર્ટના આદેશ બાદ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. ત્યાર પછી અનિલ દેશમુખને લગતા મની લોન્ડરિંગના કેસો ખુલ્યા અને કેન્દ્રીય તપાસ એજન્સી ED દાખલ થઈ. EDએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. હાલ તે આર્થર રોડ જેલમાં છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Maharashtra: સામાજિક કાર્યકર મેધા પાટકરની વધી મુશ્કેલીઓ, શંકાસ્પદ લેવડદેવડ મામલે EDએ કેસ દાખલ કર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">