Breaking News: NIAને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. આ ઈમેલ બાદ અન્ય એજન્સીઓની સાથે મુંબઈ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે.

Breaking News: NIAને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
NIA receives mail threatening terror attack in Mumbai, security agencies on high alert (File Image)
Follow Us:
| Updated on: Feb 03, 2023 | 10:38 AM

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને એક ઈમેલ મળ્યો છે જેમાં ધમકી આપવામાં આવી છે કે મુંબઈમાં આતંકવાદી હુમલો થવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે આ મેઈલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ઈમેલ આઈડી પર મળ્યો હતો, ત્યારબાદ દેશના અલગ-અલગ શહેરોને એલર્ટ કરવામાં આવ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈ પોલીસને આ માહિતી આપી છે.

ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. આ ઈમેલ બાદ અન્ય એજન્સીઓની સાથે મુંબઈ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મુંબઈ પોલીસને આપવામાં આવેલા ઈનપુટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસે જાહેર સ્થળો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ તપાસ સાથે સુરક્ષા કડક કરી છે.

જણાવવું રહ્યું કે PFI સાથે સંકળાયેલો એક આતંકવાદી પણ મુંબઈથી ઝડપાયા બાદ ઘણી વિગતો સામે આવી રહી છે કે જેમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની યોજના તૈયાર છે. ક્યારે અને શું કામ કરવાનું છે, તેની સંપૂર્ણ વિગતો સાથે દસ્તાવેજો તૈયાર છે. આ દસ્તાવેજનું નામ ‘ઓપરેશન બુકલેટ’ છે. આ પુસ્તિકામાં અંજામ આપવા માટેના ખતરનાક કાવતરાને નામ આપવામાં આવ્યું છે- ‘હજાર કટ દ્વારા 365 દિવસ.’ મુંબઈમાં ધરપકડ કરાયેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલ વ્યક્તિ પાસેથી આ ખતરનાક દસ્તાવેજ મળી આવ્યો છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ-એટીએસની ચાર્જશીટમાં તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ ખતરનાક દસ્તાવેજમાં પ્રવિણ તોગડિયા, સુબ્રમણ્યમ સ્વામી, ગિરિરાજ સિંહ, યોગી આદિત્યનાથ, સાધ્વી નિરંજન જ્યોતિ, સાધ્વી પ્રાચી, સાક્ષી મહારાજ, સંજય રાઉત જેવા નેતાઓના નિવેદનો પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. દસ્તાવેજમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દેશમાં લવ જેહાદ વિરુદ્ધ અભિયાન અને ઘર વાપસીનો કાર્યક્રમ ચલાવીને લોકોને મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ બધાનો સામનો કરવા માટે 1947 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર કેવી રીતે બનાવવું તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">