Corona Vaccination In Mumbai: BMCની ઝુંબેશ રંગ લાવી, 81 ટકા લોકોએ લીધા રસીના બંને ડોઝ

મુંબઈમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમણે શંકાને કારણે તેમનો પ્રથમ ડોઝ લીધો નથી. શંકા દૂર થયા બાદ હવે તેઓ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. તેથી, પ્રથમ ડોઝના લાભાર્થીઓની સંખ્યા લક્ષ્યાંક કરતાં વધી ગઈ છે.

Corona Vaccination In Mumbai: BMCની ઝુંબેશ રંગ લાવી,  81 ટકા લોકોએ લીધા રસીના બંને ડોઝ
Corona Vaccine (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 9:35 PM

મુંબઈ (Mumbai)માં BMCએ ગયા મહિને કોરોના રસીકરણ (corona vaccination)નો પહેલો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. લક્ષ્યાંક પૂરો કર્યા પછી BMCએ 6 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા નક્કી કરેલા ટાર્ગેટથી માત્ર 19 ટકા દુર છે. ગુરુવાર સુધીમાં મુંબઈમાં 81 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. બીએમસી હેલ્થ ડિપાર્ટમેન્ટ (BMC Health Department)ના જણાવ્યા અનુસાર આ લક્ષ્યાંક જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 81 ટકા

જણાવી દઈએ કે મુંબઈમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. તબક્કાવાર તમામ વિભાગો માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે BMCને 18 વર્ષથી વધુ ઉંમરના 92,37, 500 લોકોને રસી આપવાનો ટાર્ગેટ આપ્યો હતો. BMCએ ગયા મહિને જ આ ટાર્ગેટ પૂરો કરી લીધો છે. આ સાથે ગુરુવાર સુધીમાં બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 74,92,146 પર પહોંચી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એટલે કે મુંબઈમાં બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 81 ટકા પર પહોંચી ગઈ છે. BMC સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ ડોઝ માટેનો લક્ષ્યાંક પાર કરી લીધા પછી પણ 6 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધીમાં 98,13,291 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. BMC એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે મુંબઈની વસ્તી 1.25 કરોડથી વધુ છે. કેન્દ્રની સૂચના પર અમે ગયા મહિને નિર્ધારિત લક્ષ્યાંકનો પ્રથમ ડોઝ આપવાનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. તેમાંથી 10થી 20 ટકા મુંબઈ બહારના લોકો હતા, જેમણે શરૂઆતમાં રસીના અભાવે મુંબઈમાં પોતાનું રસીકરણ કરાવ્યું હતું.

કાકાણીએ લોકોને કરી અપીલ

કાકાણીએ જણાવ્યું હતું કે રસીકરણની લક્ષ્ય મર્યાદા હવે વધારીને 1,25,70,150 કરવામાં આવી છે. આમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી સુધીમાં અમે મુંબઈમાં દરેકનું ડબલ રસીકરણ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ માટે BMC પાસે પૂરતી રસી ઉપલબ્ધ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જેમનો બીજો ડોઝ બાકી છે, તેઓએ તાત્કાલિક નજીકના કેન્દ્રમાં જઈને રસીકરણ કરાવવું જોઈએ.

મુંબઈમાં અત્યાર સુધી યોજાયેલા રસીકરણ કાર્યક્રમમાં BKC કેન્દ્ર 2, 14,352 લોકોને રસી આપીને ટોચ પર છે. આ પછી નેસ્કો સેન્ટર 2,08,603 લોકોને રસી આપીને બીજા ક્રમે છે. સેવન હિલ્સ હોસ્પિટલ 1,88,504 લોકોને રસી આપીને ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો :  Maharashtra : તંત્રની અનોખી પહેલ, છેવાડાના આ ગામ સુધી વેક્સિન પડોંચાડવા કરવામાં આવ્યો ડ્રોનનો ઉપયોગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">