AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેક્સિન બાદ વળતર માટે લાઈન : આ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોના વળતર માટે લાગી લાંબી લાઈન

રાજ્યમાં અત્યાર સુધીમાં 1.10 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. તેમાંથી 1.01 લાખ લોકોને વળતર મળી ચૂક્યુ છે. મળેલી અરજીઓ અનુસાર લગભગ 1.5 લાખ અરજીઓ સાચી હોવાનું જાણવા મળ્યુ છે.

વેક્સિન બાદ વળતર માટે લાઈન : આ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોના વળતર માટે લાગી લાંબી લાઈન
Corona Death (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 2:36 PM
Share

Maharashtra :  મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા(Corona Death)  લોકોના પરિવારોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી હતી. સરકારની (Maharashtra Government) આ જાહેરાત બાદ લોકોએ અરજીઓ મોકલવાનું શરૂ કર્યું હતુ, પરંતુ હવે આ અરજીઓ સરકાર માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે.

વળતર માટે 34 ટકા વધુ અરજીઓ આવી

રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે સરકાર પાસે વધુ અરજીઓ આવી રહી છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 50 હજારથી વધુ ખોટી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હાલમાં એક લાખ 10 હજાર અરજીઓ મંજૂર કરવાની બાકી છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકાર પાસે 18 જાન્યુઆરી સુધીમાં 2.17 લાખ અરજીઓ આવી છે, જે રાજ્યમાં મૃત્યુના કેસ કરતાં 34 ટકા વધુ છે.

1 લાખથી વધુ લોકોને વળતર મળ્યુ

રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જે અરજીઓ આવી છે તેમાંથી 30 ટકા અરજીઓ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યુ છે. અમને 2.17 લાખ અરજીઓ મળી છે, તેનો અર્થ એ નથી કે રાજ્યમાં કોરોનાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે કે લોકો વળતરની રકમ મેળવવા માટે ખોટી અરજીઓ મોકલી રહ્યા  છે.

વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 1.10 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. તેમાંથી 1.01 લાખ લોકોને વળતર મળી ચૂક્યું છે. અત્યાર સુધી મળેલી અરજીઓ અનુસાર લગભગ 1.5 લાખ અરજીઓ સાચી હોવાનું જાણવા મળે છે.

ઓમિક્રોનના આટલા કેસ નોંધાયા

ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 37 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યમાં હાલ 2,58,569 સક્રિય કેસ છે. જો કે કોરોના કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં 52,025 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે ઓમિક્રોનનો ખતરો પણ ઘટી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન સંક્રમિત 125 દર્દીઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો : Maharashtra Corona Update: કોરોના સંક્રમણના 46,197 નવા કેસો વચ્ચે 52 હજારથી વધુ દર્દીઓ થયા સાજા, મુંબઈમા પણ ઘટી રહી છે રફ્તાર

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">