Vastu Tips: ઘરમાં સાપનુ આવવું શુભ કે અશુભ? શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?- આ ત્રણ સંકેત બદલી નાખશે તમારુ જીવન
Vastu Tips For Snake: ભીષણ ગરમી વચ્ચે ઘરમાં વારંવાર સાપ નીકળે તો એ માત્ર એક સંયોગ નથી. જાણો ત્રણ મોટા સંકેત અને વાસ્તુ દોષ જે સાંપને તેની તરફ આકર્ષિત કરે છે.

અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ઘણીવાર સાપ તેના દરમાંથી બહાર આવે છે કારણ કે જમીનની અંદરનું તાપમાન વધી જાય છે. જેનાથી બચવા માટે સાપ સામાન્ય રીતે ઠંડી જગ્યાની શોધમાં માણસોની વસ્તી વચ્ચે પહોંચી જાય છે. પરંતુ વાસ્ત શાસ્ત્રમાં સાપના આવવાને માત્ર કુદરતી ઘટના ન માનવી જોઈએ. તેનાથી ઘરની ઊર્જા અને વાસ્તુ દોષ સાથે જોડીને જોવામાં આવે છે.
શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?
વાસ્તુ અનુસાર સાપનું ઘરમાં આવવુ રાહુ અને કેતુ ગ્રહના પ્રભાવને દર્શાવે છે. જો તમારા ઘરમાં રાહુનો દોષ છે તો આવી જીવ ઘર તરફ આકર્ષિત થઈ શકે છે. વિશેષ રીતે ઘરના નેઋત્ય ખૂણો જો સ્વચ્છ ન હોય, ત્યાં ગંદકી રહેતી હોય તો આ રાહુને સક્રિય કરી શકે છે. જે સાપના આગમનનું કારણ બની શકે છે.
આ દિશામાંથી સાપ નીકળે તો ખતરાની ઘંટી
જો સાપ વારંવાર ઘરમી ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પ્રવેશ કરે છે તો એ ઘરમાં અસ્થિરતા અને માનસિક તણાવનો સંકેત હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર નીચે તિરાડ અથવા તૂટેલો ઉમરો પણ નકારાત્મ ઊર્જા અને સરકીને આવનારા સાપ જેવા જીવોને નિમંત્રણ આપે છે.
પિતૃદોષ અને કાલસર્પ દોષનો સંકેત
પૌરાણિક માન્યતા અનુસારપ સાપનો સંબંધ આપણા પૂર્વજો સાથે જોડીને પણ જોવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને સપનામાં વારંવાર સાપ દેખાય કે ગરમીમાં અચાનક ઘરના આંગણામં સાપ આવી જાય તો આ પિતૃ દોષ કે કુંડલીમાં કાલસર્પ દોષનો સંકેત હોઈ શકે છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે ઘરમાં કોઈ વિશેષ પૂજા કે શુદ્ધિની જરૂર છે.
વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય
ગરમીમાં સાપોને ઘરથ દૂર રાખવા અને વાસ્તુ દોષને શાંત કરવા માટે આ ઉપાય કરી શકો છે.
- સફાઈ નું મહત્વ: ઘરના ઈશાન ખૂણાને હંમેશા સાફ અને ખાલી રાખો. અહીં કબાડ જમા થવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ વધી શકે છે.
- સર્પગંધાનો છોડ: ઘરના મુખ્ય દ્વાર પાસે કે ગાર્ડનમાં સર્પગંધા કે લેમન ગ્રાસનો છોડ લગાવવો જોઈએ. તેની સુગંધ થી સાપ દૂર રહે છે અને વાસ્તુ પણ બરાબર રહે છે.
- ચંદનનો ધૂપ: ઘરમાં નિયમિત રીતે ચંદનનો ધૂપ કે અગરબતી જલાવો. તેની સુગંધ સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. ટ
- શિવની ઉપાસના: જો કે સાપ ભગવાન શિવનું આભૂષણ છે આથી ઘરમામં મહામૃત્યુંજય મંત્રનો જાપ કે શિવ ચાલીસાનો પાઠ કરવાથી ભય અને દોષ બંને દૂર થાય છે.
