Summer Tips – ગરમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે ? તો રાહત મેળવવા અજમાવો આ ઉપાય

Summer Foot care Tips : હાલમાં ઉનાળાના (Summer)સમયમાં ગરમી (Heat)તેની ચરમસીમાએ છે ત્યારે લોકો શરીરમાં લ્હાય બળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ખાસ કરીને પગના તળિયામાં લ્હાય બળવી તેમજ ખંજવાળ આવવી તે સમસ્યા ગરમીમાં વકરી છે.  આવો જાણીએ તેમાંથી રાહત મેળવવાના ઉપાય

Summer Tips - ગરમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે ? તો રાહત મેળવવા અજમાવો આ ઉપાય
Burning Feet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 10:51 AM

ઉનાળામાં (Summer) માં ત્વચાને લગતી સમસ્યા (Skin problem) વધતી હોય છે. શરીરના વિવિધ ભાગમાં પરસેવો થતા ખંજવાળ આવવી, ચકામા પડવા, કે સન બર્ન થવા સામાન્ય છે. ઘણા લોકોને પગના તળિયામાં અતિશય લ્હાય બળતી હોય છે. તેમજ પગમાં અતિશય ખંજવાળ પણ આવતી હોય છે. ત્યારે તેમાંથી રાહત મેળવવાના કેટલાક ઉપાય આ પ્રમાણે છે

પગના તળિયામાં લ્હાય બળવાના કારણ

પગના તળિયામાં લ્હાય બળવાનું મોટું કારણ શરીરમાં યૂરિક એસિડના પ્રમાણમાં થતો વધારો છે. પગના તળિયા સૂકા રહેતા હોય તો પણ ગરમીના સમયમાં લ્હાય બળે છે. ઉપરાંત કેલ્શિયમ અને વિટામિન ડીના અપૂરતા પ્રમાણને કારણે પણ આ સમસ્યા થાય છે તો ઘણી વાર ડાયાબિટિસના કારણે પણ પગના તળિયામાં લ્હાય બળે છે. (Summer Foot care Tips ) હાલમાં ઉનાળાના (Summer) સમયમાં ગરમી (Heat)તેની ચરમસીમાએ છે ત્યારે લોકો શરીરમાં લ્હાય બલવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ખાસ કરીને પગના તળિયામાં લ્હાય બળવી તેમજ ખંજવાળ આવવી તે સમસ્યા ગરમીમાં વકરી છે.  આવો જાણીએ તેમાંથી રાહત મેળવવાના ઉપાય

સમસ્યામાંથી રાહત મેળવવાના ઉપાય

નાળિયેર તેલનો ઉપયોગ

પગના તળિયામાં નાળિયેર તેલ લગાવીને થોડી વાર માલિશ કરી શકાય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

હળદરનો ઉપયોગ

દરેક રસોડામાં સરળતાથી મળી રહેતી હળદર એ આ સમસ્યામાં સૌથી અસરકારક રહે છે. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણો છે. તે પગમાં થતી બળતરા અને ખંજવાળમાંથી રાહત આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.હળદરમાં નાળિયેળનું તેલ મેકિસ કરીને લગાવવાથી તમને રાહત મળશે. હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ તથા એન્ટિ બાયોટિક ગુણ હોય છે. જે તમને ઘણી મદદ કરશે.

મીઠાના પાણીનો ઉપયોગ

મીઠું પણ પગના તળિયામાંથી લ્હાય બળવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે એક મોટા વાસણ કે ડોલમાં પગના તળિયા ડૂબે તેટલું પાણી લેવું, તેમાં સિંધવ મીઠું નાંખીને પાણીમાં પગ બોળીને થોડી વાર માટે બેસો એનાથી તમને ઘણી રાહત રહેશે. આ પાણીમાં તમે સરકો પણ ઉમેરી શકો છો.

એલોવેરા અને કપૂર

એલોવેરા , નાળિયેર તેલ અને કપૂરનો ઉપયોગ કરીને પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ એક આયુર્વેદિક ઉપચાર છે તેના માટે એલોવેરા, નાળિયેર અને કપૂરના પાઉડરને મિક્સ કરી લેવો.આ મિશ્રણને પગના તળિયા પર લગાવી લેવું . કપૂર અને એલોવેરા પ્રાકૃતિક રીતે ઠંડી પ્રકૃતિ ધરાવે છે જે તમને બળતરામાં રાહત આપશે.

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ

ગરમીના સમયમાં શરીરનો હાઇડ્રેટ રાખવું અતિશય જરૂરી છે. ઘણી વાર શરીરમાં ટોક્સિન વધી જાય છે ત્યારે પણ પગમાં લ્હાય બળે અને ખંજવાળ આવે છે. માટે ગરમીના સમયમાં પૂરતા પ્રમાણમાં પાણી પીઓ જેનાથી ટોક્સિક બહાર નીકળતા તમને રાહત મળશે.

આ ઉપરાંત તમે રોજિંદા વપરાશમાં કોથમીર, વરિયાળી, દ્વાક્ષ જેવા ઠંડા પદાર્થોનું સેવન કરશો તો એ પણ તમારા માટે ફાયદાકારક બની રહેશે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">