Health : રાત્રે ઊંઘતા પહેલા પગના તળિયાઓ ઘસીને ધોવાના છે ખાસ ફાયદા

કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો ગરમ પાણીમાં મીઠું નાખો અને તેમાં 20 થી 25 મિનિટ સુધી પગ મૂકીને બેસો, રાહત થશે.

Health : રાત્રે ઊંઘતા પહેલા પગના તળિયાઓ ઘસીને ધોવાના છે ખાસ ફાયદા
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 7:41 AM

ઘરનું કામ હોય કે ઓફિસ (Office) જયારે ઘરેથી કામ કરવાનું આવે ત્યારે, સતત કામનું દબાણથી આપણું શરીર થાકી જાય છે. જોકે સારો આહાર, થોડીક કસરત અને સારી ઊંઘ આપણને આ થાકમાંથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે, પરંતુ આજકાલ સારી ઊંઘ (Sleep) લેવી થોડી મુશ્કેલ બની ગઈ છે. જો કે આ સમસ્યાને ઉકેલવા માટે ઘણી ટીપ્સ અને સૂચનો છે.

પરંતુ તમારે એક સલાહ પણ સ્વીકારવી જોઈએ. રાત્રે સૂતા પહેલા, તમારા પગ ખાસ કરીને તળીયાઓ ઘસીને ધોઈ લો, આ ક્રિયા તમને ઊંઘવામાં મદદ કરશે. આ સિવાય તમારું પાચનતંત્ર પણ સારું રહેશે અને તે દરેકને ખબર છે કે પાચન તંત્રનો સીધો સંબંધ આરોગ્ય સાથે છે.

યોગ્ય ઉર્જા મેળવો પગમાં યોગ્ય હવાનો પ્રવાહ સૂતા સમયે અથવા પગ લંબાવ્યા પછી જ પ્રાપ્ત થાય છે. તમે જેટલા લાંબા સમય સુધી કામ પર રહો છો, તમારા પગ લાંબા સમય સુધી જમીન પર હોય છે, જેનાથી યોગ્ય હવા પ્રવાહ મેળવવો મુશ્કેલ બને છે. તેમને રાત્રે ધોવાથી તળીયાઓ પર જમા થયેલી ગંદકી પણ સાફ થાય છે અને હવાનો પ્રવાહ વધે છે, પગની સાથે શરીરને પણ રાહત મળે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શરીરનું યોગ્ય તાપમાન જાળવે છે પગ શરીરના યોગ્ય તાપમાનને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી આયુર્વેદમાં પગની સ્વચ્છતા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. આખો દિવસ પગરખાં અને ચંપલમાં રહ્યા બાદ પગમાં એક અલગ જ પ્રકારની સળગતી સંવેદના આવે છે, જેને સુધારવાની જરૂર છે. બહારથી આવ્યા બાદ પગને બરાબર ધોઈ લો તેમજ સૂતા પહેલા તેને ઘસો.

તેમાં એક્યુપ્રેશર છે આપણા પગમાં આખા શરીરમાં એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે અને જ્યારે પગ ધોતી વખતે આપણે તેને ઘસતા હોઈએ છીએ, ત્યારે તે બિંદુઓ દબાણ હેઠળ હોય છે. આ ક્રિયા તણાવ પણ ઘટાડે છે અને માનસિક સ્થિતિને સંતુલિત રાખે છે. સારી ઊંઘ મેળવવા માટે, સારી માનસિક સ્થિતિ હોવી જરૂરી છે.

પગની અવગણના ન કરો તમે તમારા વાળ, ચામડી અને શરીરના અન્ય ભાગોની જેટલી કાળજી લો છો, તમારે તમારા પગની પણ એટલી જ કાળજી રાખવી જોઈએ. તેથી તમારા પગની સંભાળ રાખો અને તેમને ધોયા વગર રાત્રે સૂશો નહીં. આ તમારા સાંધા અને સ્નાયુઓને રાહત આપશે અને તમે શાંતિથી ઊંઘી શકશો. જો પગમાં સોજો હોય અથવા કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો ગરમ પાણીમાં મીઠું નાખો અને તેમાં 20 થી 25 મિનિટ સુધી પગ મૂકીને બેસો. રાહત થશે.

અન્ય ટિપ્સ : અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તમારા પગ ગરમ પાણીથી ધોઈ લો.

સફાઈ દરમિયાન, અંગૂઠા વચ્ચેના વિસ્તારોને સાફ કરવાનું ભૂલશો નહીં.

ધોયા પછી, તેમને હળવા હાથથી સાફ કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો.

પગમાં ચામડી હોય છે, તેથી ઘસવું અને સાફ કરવાની ભૂલ ન કરો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?

આ પણ વાંચો: Fitness Tips: કસરત વગર ફિટ રહેવાની છે આ રીત, તમે પણ અપનાવીને રહી શકો છો સ્વસ્થ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">