‘જો ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા પકડાય તો…’, 1 એપ્રિલથી રેલવે કરશે આ મોટો ફેરફાર
Railway New Rules : 1 એપ્રિલથી રેલવે... ભોજનથી લઈને ટિકિટ, દંડ અને પાર્કિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરી રહી છે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો તે ઓનલાઈન દંડ ભરી શકે છે.
ડિજીટલ ઈન્ડિયા તરફ આગળ વધીને રેલવે ઘણા નવા ફેરફારો કરવા જઈ રહી છે. આ ક્રમમાં 1 એપ્રિલથી રેલવે… ભોજનથી લઈને ટિકિટ, દંડ અને પાર્કિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરી રહી છે. ખાસ વાત એ છે કે હવે રેલવે QR કોડ સ્કેન કરીને ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરનારા મુસાફરો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે.
આ રીતે મુસાફરોને મળશે લાભ
જો કે રેલવેના આ પગલાથી મુસાફરોને પણ સુવિધા મળશે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય છે અને મુસાફરી દરમિયાન તેની પાસે રોકડ ન હોય તો તે ડિજિટલ પેમેન્ટ કરીને જેલ જવાથી બચી શકશે. આ માટે રેલવે ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીન આપશે.
મુસાફર પાસેથી QR કોડથી દંડ વસુલાશે
હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીનો પણ દેશના ઘણા સ્ટેશનો પર ચેકિંગ સ્ટાફ સુધી પહોંચી ગયા છે. ટૂંક સમયમાં અન્ય સ્થળોએ પણ તેને શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આના દ્વારા ટ્રેનમાં રહેલા તમામ TTE કોઈપણ મુસાફર પાસેથી ઓનલાઈન દંડ વસૂલ કરી શકશે. આ માટે પેસેન્જરે પોતાના મોબાઈલથી મશીનમાં લગાવેલા QR કોડ સ્કેન કરવાનો રહેશે.
ટિકિટ કાઉન્ટર પર QR સુવિધા
રેલવેના આ પગલાથી પારદર્શિતા આવશે અને ટિકિટ ચેકિંગ સ્ટાફ પર લાગેલા જબરદસ્તીના આરોપો પણ ટાળી શકાશે. રેલવેના આ પગલાથી રોકડ વ્યવહારો ઘટાડવામાં મદદ મળશે. ડિજિટલ પેમેન્ટની સુવિધા સુનિશ્ચિત કરવા માટે રેલવે હવે ટિકિટ કાઉન્ટર પર પણ QR ઇન્સ્ટોલ કરશે.
આ સિવાય પાર્કિંગ અને ફૂડ કાઉન્ટર પર ક્યૂઆર કોડની સુવિધા પણ આપવામાં આવી રહી છે. ટિકિટ કાઉન્ટર પર QR સુવિધા સાથે મુસાફરો ટિકિટ માટે ઑનલાઇન ચૂકવણી કરી શકશે. આનાથી એ પેસેન્જરો માટે સરળતા રહેશે કે જેઓ રોકડ લઈને જતા નથી.
આ સિવાય મુસાફરો સ્ટેશન પર ભોજન, શૌચાલય અને પાર્કિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આ સિવાય પાર્સલનું પેમેન્ટ્સ પણ ઓનલાઈન વસૂલી શકાશે. રેલવેએ આ પગલાને પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે.