AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle : નખની પીળાશ દૂર કરવી છે તો આ રહ્યા ઘરગથ્થુ ઉપચાર

બદામ અને ઓલિવ ઓઈલને સમાન માત્રામાં મિક્સ કરો. દરરોજ રાત્રે સૂતી વખતે નખ પર આ તેલની માલિશ કરો. આ તમારા નખને પોષણ અને મજબૂત બનાવશે. સાથે જ નખની ચમક પણ પાછી લાવશે.

Lifestyle : નખની પીળાશ દૂર કરવી છે તો આ રહ્યા ઘરગથ્થુ ઉપચાર
Remedies for yellowing nails (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:31 AM
Share

પીળા નખ(Nails ) ઘણા કારણોસર હોઈ શકે છે. ક્યારેક તે ફૂગના ચેપને(Infection ) કારણે હોય છે, તો ક્યારેક તે થાઇરોઇડ, ફેફસાના રોગ, ડાયાબિટીસ(Diabetes ) અથવા સૉરાયિસસને કારણે હોઈ શકે છે. ક્યારેક આનું કારણ આપણો ખોટો આહાર, અસ્વસ્થ દિનચર્યા, સસ્તા નેલ પેઈન્ટનો ઉપયોગ અને લાંબા સમય સુધી નખ પર નેલ પેઈન્ટ રાખવું પણ હોઈ શકે છે.

કારણ ગમે તે હોય, પરંતુ પીળા નખ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે અને ક્યારેક અકળામણનું કારણ બની જાય છે. જો નખ પીળા થવાનું કારણ કોઈ રોગ છે, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. પરંતુ જો તે તમારી બિનઆરોગ્યપ્રદ દિનચર્યા, ખાદ્યપદાર્થો અથવા નેઇલ પેઇન્ટના ઉપયોગને કારણે છે, તો તમે અહીં જણાવેલી કેટલીક પદ્ધતિઓ અજમાવીને તમારા નખની સફેદી પાછી લાવી શકો છો.

નખના પીળાશ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

1. લીંબુમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. આના ઉપયોગથી તમારી સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આ માટે તમારે એક બાઉલમાં નવશેકા પાણીમાં એક લીંબુ નિચોવીને તેમાં લેમન એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં નાખવા પડશે. તમારા હાથને આ પાણીમાં લગભગ 15 મિનિટ સુધી રાખો. આ પછી, નખને ટૂથબ્રશથી ઘસીને સાફ કરો. આ પછી તમારા હાથને હૂંફાળા પાણીથી ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવો. જો તમે અઠવાડિયામાં એકવાર પણ આ ઉપાયો કરશો તો થોડા દિવસોમાં ઘણો ફરક દેખાશે.

2. જો તમારે વધારે પરેશાની ન કરવી હોય તો ટૂથપેસ્ટનો ઉપયોગ નખ પર જ કરો. તમે તેને નખ પર લગાવો અને ટૂથબ્રશથી નખને ઘસો. તમારા દાંતની જેમ તે તમારા નખને પણ ચમકદાર બનાવશે.

3. સફેદ વિનેગર નખમાં ચમક લાવવાનું પણ કામ કરે છે. આ માટે તમારે હૂંફાળા પાણીમાં વિનેગર મિક્સ કરવું પડશે. આ પછી, તમારા હાથને લગભગ 10 મિનિટ સુધી આ પાણીમાં ડૂબાડી રાખો. થોડીવાર પછી હાથને હૂંફાળા પાણીથી ધોઈ લો અને મોઈશ્ચરાઈઝ કરો.

4. બદામ અને ઓલિવ ઓઈલને સમાન માત્રામાં મિક્સ કરો. દરરોજ રાત્રે સૂતી વખતે નખ પર આ તેલની માલિશ કરો. આ તમારા નખને પોષણ અને મજબૂત બનાવશે. સાથે જ નખની ચમક પણ પાછી લાવશે.

5. અડધા કપ પાણીમાં ત્રણથી ચાર ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેમાં નખને બે મિનિટ પલાળી રાખો. તે પછી નખ સાફ કરો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">