AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

Eggs Side Effects : ઈંડાની સફેદી ફિટ રહેવામાં મદદરૂપ હોવા છતાં તેના સેવનથી શરીરમાં ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. લોકો વિચારે છે કે ઈંડાની સફેદીનું સેવન કરવાથી તેઓ સ્વસ્થ થઈ શકશે, પરંતુ તે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ
Eggs Side Effects (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:43 AM

સ્વસ્થ (Health) અને ફિટ રહેવા માટે ઈંડાનું સેવન કરવું સારું માનવામાં આવે છે. ઈંડા (Egg) માં પુષ્કળ પોષક તત્વો હોય છે, કારણ કે તેમાં પ્રોટીન, વિટામીન, આયર્ન જેવા પોષણથી ભરપૂર તત્વો મળે છે. મોટા ભાગના લોકો ઘરે જિમ કરે છે, દોડે છે અથવા કસરત કરે છે. નિષ્ણાતોના મતે તેઓ માત્ર ઈંડાની સફેદીનું સેવન કરે છે. ઇંડાની સફેદી ફેટ અને ઓછી કેલરી વાળી છે. એવું માનવામાં આવે છે કે ઇંડાનો પીળો ભાગ વજન વધારે છે અને જો તમે ફિટ રહેવા માંગતા હોવ તો તેને અવગણવું વધુ સારું છે.

આમ તો ઈંડાનો સફેદ ભાગ ફિટ રહેવામાં મદદરૂપ છે, પરંતુ તેના સેવનથી શરીરમાં ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. લોકો વિચારે છે કે ઈંડાની સફેદીનું સેવન કરવાથી તેઓ સ્વસ્થ થઈ શકશે, પરંતુ તે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અમે તમને આ સમસ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એલર્જી

સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો ઈંડાનો સફેદ ભાગ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી શરીરમાં એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે. ત્વચા પરની એલર્જી તમને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે નાના બાળકોમાં એલર્જી થવાની શક્યતાઓ વધુ હોય છે. એવું માનવામાં આવે છે કે જો આ એલર્જી ગંભીર સ્વરૂપ લે છે, તો તેને એનાફિલેક્ટિક શોક પણ કહેવામાં આવે છે.

સારા તેંડુલકર અને સના ગાંગુલીમાંથી નાનું કોણ છે?
દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે

ફૂડ પોઈઝનીંગ

ઘણી વખત લોકો બોડી બનાવવા અથવા ફિટ રહેવા માટે કાચા ઈંડાનો સફેદ ભાગ ખાય છે. કહેવાય છે કે આનાથી પેટમાં સૅલ્મોનેલા બેક્ટેરિયા પહોંચે છે, જેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે આનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આમ તો ઈંડાને બોઇલને ખાવું જોઈએ, કારણ કે તેને ઉકાળવાથી તેમાં રહેલા સાલ્મોનેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય છે.

કિડની

સ્વસ્થ રહેવા માટે પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ, પરંતુ જો શરીરમાં પ્રોટીનની માત્રા વધવા લાગે તો આ સ્થિતિમાં કિડનીના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે કિડનીને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન યોગ્ય માત્રામાં લેવું જોઈએ. ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે અને જો તમે તેનું વધુ સેવન કરશો તો કિડની સંબંધિત સમસ્યાઓ તમને ઘેરી શકે છે.

કબજિયાત

ઈંડાના સફેદ ભાગમાં શરીર માટે જરૂરી ગણાતા પ્રોટીન અને વિટામીન ભલે હોય છે, પરંતુ તેમાં ફાઈબર નથી હોતું જે પેટને સ્વસ્થ રાખે છે. આવી સ્થિતિમાં ઈંડા વધારે ખાવાથી શરીરમાં કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. તેથી ઈંડાના સફેદ ભાગનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.

આ પણ વાંચો :Technology: WhatsApp માંથી બેન્ક એકાઉન્ટ કેવી રીતે હટાવવું અથવા બદલવું, જાણો સંપૂ્ર્ણ પ્રોસેસ

આ પણ વાંચો :Manipur: વિધાનસભા ચૂંટણી પહેલા IED બ્લાસ્ટમાં ITBPના બે જવાન ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">