Types of Hindu marriage : શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં વિવાહ કેટલા પ્રકારનાં હોય છે? વાંચો અને જાણો રસપ્રદ માહિતિ

આ તમામ આઠ પ્રકારના લગ્નના પોતપોતાના રીત-રિવાજો અને કારણો હતા અને તેના આધારે તેનું નામ પણ રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ સનાતન પરંપરા સાથે જોડાયેલા આઠ પ્રકારના લગ્ન વિશે.

Types of Hindu marriage : શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં વિવાહ કેટલા પ્રકારનાં હોય છે? વાંચો અને જાણો રસપ્રદ માહિતિ
Marriage (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 4:48 PM

સનાતન પરંપરાના સોળ સંસ્કારોમાંથી એક લગ્ન સંસ્કાર છે, જેમાં વ્યક્તિએ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવો પડે છે. પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે. જો હિંદુ ધર્મના લગ્ન (Marriage)ના રિવાજોની વાત કરીએ તો સમયની સાથે તેમાં ઘણા ફેરફારો થયા છે. ભારત (India)માં પ્રાચીન સમયમાં આઠ પ્રકાર (Types of Hindu marriage)ના લગ્ન પ્રચલિત હતા. આ તમામ આઠ પ્રકારના લગ્નના પોતપોતાના રીત-રિવાજો અને કારણો હતા અને તેના આધારે તેનું નામ પણ રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ સનાતન પરંપરા સાથે જોડાયેલા આઠ પ્રકારના લગ્ન વિશે.

બ્રહ્મ વિવાહ

આ લગ્ન સૌથી લોકપ્રિય અને શ્રેષ્ઠ પ્રકાર માનવામાં આવે છે, જે આજ સુધી ચાલુ છે. આમાં, વર અને વધુ બંને પક્ષની સંમતિથી, છોકરીના લગ્ન સમાન વર્ગના યોગ્ય વર સાથે નક્કી કરવામાં આવે છે. જેમાં યુવતીના લગ્ન બાદ તેની ક્ષમતા અનુસાર દક્ષિણા અને ભેટ વગેરે આપીને તેને વર સાથે વિદાય આપવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દેવ વિવાહ

દેવ લગ્નમાં, પિતા તેમની પુત્રીને એક વિશેષ ધાર્મિક વિધિ (દેવયજ્ઞ) કરતા પૂજારીને આપતા હતા. આ પ્રકારના લગ્નમાં કન્યાને દક્ષિણાના રૂપે આપવામાં આવતી હતી. દેવયજ્ઞ નિમિત્તે કરવામાં આવતો હોવાથી તેને દેવ વિવાહ કહેવામાં આવે છે.

આર્ષ વિવાહ

જ્યારે વર પક્ષ દ્વારા કન્યાના પિતાને ગાય અથવા બળદની જોડી આપીને લગ્ન કરે છે, ત્યારે તેને આર્ષ લગ્ન કહેવાય છે, પરંતુ આવા પ્રકારના વિનિમયનો હેતુ ફક્ત યજ્ઞકાર્યનો હતો.

પ્રાજાપત્ય વિવાહ

પ્રાજાપત્ય વિવાહમાં, પિતા પોતાની પુત્રીના લગ્ન વગર તેની સંમતિથી તેના લગ્ન કોઈ પણ યોગ્ય વર સાથે એ હેતુથી કરી દેતા હતા કે બંન્ને પ્રજાને જન્મ આપે, પોતાના નાગરિક અને ધાર્મિક ફરજોનું એક સાથે પાલન કરે.

આસુર વિવાહ

કોઈ પુરૂષ દ્વારા છોકરી પક્ષને બને તેટલા પૈસા આપીને અથવા ખરીદી કરીને મુક્તપણે લગ્ન કરવાને આસુર વિવાહ કહેવાય છે. આ લગ્ન એક પ્રકારનો સોદો હતો, જે પૈસા કે અન્ય કીમતી વસ્તુઓ આપીને કરવામાં આવતો હતો.

ગાંધર્વ વિવાહ

પરિવારના સભ્યોની સંમતિ વિના, વર અને કન્યાના લગ્ન કોઈપણ રીત રિવાજ વિના કરવામાં આવે તેને ‘ગાંધર્વ વિવાહ’ કહેવાય છે. ગાંધર્વ વિવાહમાં, સ્ત્રી અને પુરુષ કામુકતામાં વશીભૂત થઈ એક એકબીજા સાથે સહવાસ કરે છે.

રાક્ષસ વિવાહ

યુવતી અને યુવતીના પક્ષની સંમતિ વિના તેનું બળજબરીથી અપહરણ કરીને તેની સાથે બળજબરીથી લગ્ન કરાવવાને ‘રાક્ષસ વિવાહ’ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે રાક્ષસ વિવાહનો ઉદ્ભવ યુદ્ધથી થયો હતો.

પિશાચ વિવાહ

કોઈ પણ છોકરીની લાચારી, માનસિક નબળાઈ વગેરેનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવો અને પછી તેની સાથે લગ્ન કરવા એ ‘પિશાચ વિવાહ’ કહેવાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યું છે)

આ પણ વાંચો: ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">