AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds: ખાલી પેટે પલાળેલી બદામ ખાવી સારી છે, પરંતુ શું તેની છાલ ઉતારવી જરૂરી છે?

Almonds : બદામની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફાઈબર અને વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. બદામ ડ્રાયફ્રુટ્સનો રાજા છે. તેમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાનું કહેવાય છે કારણ કે તેનાથી મગજ અને યાદશક્તિ વધે છે. શિયાળામાં તમે તેને સીધી ખાઈ શકાય છે. પરંતુ ઉનાળાની ઋતુમાં તેને અલગ રીતે ખાવાની સલાહ આપવામાં આવે છે.

Almonds: ખાલી પેટે પલાળેલી બદામ ખાવી સારી છે, પરંતુ શું તેની છાલ ઉતારવી જરૂરી છે?
eating soaked almonds
| Updated on: Mar 17, 2024 | 2:52 PM
Share

ડાયટિશિયનના જણાવ્યા અનુસાર ઉનાળાના દિવસોમાં બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. પરંતુ તેને ખાતા પહેલા તમારે બદામની છાલ કાઢી લેવી જોઈએ. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આવું કેમ? ચાલો આજે તમને જણાવીએ કે બદામને છાલ સાથે ખાવું જોઈએ કે તેના પરથી છાલ કાઢીને ખાવી જોઈએ? બેમાંથી કઈ રીત બેસ્ટ છે.

બદામને છાલ સાથે ખાવાનો ફાયદો

  • ફાઈબરથી ભરપૂર: બદામની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન માટે ખૂબ જ સારું હોય છે.
  • એન્ટીઓક્સીડેન્ટ્સ: બદામની છાલમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે.
  • વિટામિન્સ અને આયર્ન: છાલમાં વિટામિન E, B2, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

બદામને તેની છાલ સાથે ખાવાથી આ થાય છે ગેરફાયદા

  • પાચનમાં પ્રોબ્લેમ : કેટલાક લોકોને છાલની સાથે બદામ ખાવામાં પણ તકલીફ થતી હોય છે. આ સમસ્યા પાચન સંબંધિત હોઈ શકે છે.
  • બદામની છાલનો સ્વાદ કડવો હોય છે, તેથી ઘણા લોકોને તેની છાલનો સ્વાદ પસંદ નથી આવતો.

એક મીડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ, જો તમે પલાળેલી બદામ ખાતા હોવ તો તેની છાલ કાઢી લો. આ બદામ ખાવાથી 100 ટકા સુધી ફાયદો થાય છે. તે જ સમયે કેટલાક ન્યુટ્રીશનનું માનવું છે કે છાલ સાથે બદામ ખાવાથી પણ વધુ ફાયદાકારક છે. જો બદામને છાલ સાથે ખાવામાં આવે તો શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન ઈ મળે છે.

છાલવાળી બદામ કેવી રીતે ખાવી

જો બદામને છાલ સાથે ખાવી હોય તો બાળકો અને વૃદ્ધોએ તેને ન ખાવી જોઈએ અને જો યુવાનો છાલવાળી બદામ ખાતા હોય તો તેમણે બદામને સારી રીતે ચાવીને ખાવી જોઈએ. બદામની છાલ ફાયબર, એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી તે કેટલાક લોકોને પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">