AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips : ચહેરાની ખોવાયેલી રોનક પાછી મેળવવા કામ લાગશે બરફના ટુકડા

ચહેરા પર બરફ (Ice ) લગાવવાથી રોમછિદ્રો ખોલવામાં મદદ મળે છે, પરંતુ બરફ લગાવવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ પણ બરાબર થાય છે. જો ચહેરાનું રક્ત પરિભ્રમણ બરાબર હશે તો તમારા ચહેરા પર કુદરતી ચમક પણ જળવાઈ રહેશે.

Beauty Tips : ચહેરાની ખોવાયેલી રોનક પાછી મેળવવા કામ લાગશે બરફના ટુકડા
Ice Cube Beauty Hacks (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 8:15 AM
Share

ઉનાળાના (Summer ) આગમન સાથે જ ચહેરાની સુંદરતા (Beauty ) બગડવા લાગે છે, તેની પાછળનું કારણ છે પરસેવો અને પ્રદૂષણ, જે આપણા ચહેરાની કુદરતી (Natural ) સુંદરતા છીનવી લેવાનું કામ કરે છે. જો કે, એવી ઘણી પદ્ધતિઓ છે જે તમને તમારા ચહેરાની ચમક જાળવી રાખવામાં મદદ કરી શકે છે, જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હોવ તો. ઉનાળામાં, ચહેરાની ચમક ઘણી વાર ફિક્કી પડી જાય છે, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા તમારા ચહેરાને ફરીથી સુંદર બનાવી શકો છો. આ આર્ટીકલમાં અમે તમને એવા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાને કોઈપણ ભેળસેળ વગર ચમકદાર અને ગોરી બનાવી શકે છે. આ પદ્ધતિ બીજી કોઈ નહીં પણ તમારા ફ્રિજમાં રાખવામાં આવેલ બરફ છે, જેનો ઉપયોગ તમે તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે કરી શકો છો.

ચહેરા પર બરફ ઘસવાના ફાયદા

1- ચહેરો સ્વચ્છ કરે છે

જો તમે ક્યાંક બહારથી આવ્યા છો અને તમને લાગે છે કે તમારો ચહેરો પહેલા કરતા થોડો બદસૂરત લાગે છે તો તમે ફ્રીજમાં રાખેલા બરફનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત બરફનો ટુકડો લઈને તમારા ચહેરા પર હળવા હાથે ઘસવાનું છે. 10-15 મિનિટ સુધી આમ કરવાથી તમારો ચહેરો પહેલા કરતા સ્વચ્છ અને ચમકદાર બની જશે.

2-પિમ્પલ્સ દૂર કરે છે

જો તમે તમારા ચહેરા પર રહેલા પિમ્પલ્સ, ડાઘ-ધબ્બાથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. જી હાં, નિયમિતપણે ચહેરા પર બરફ લગાવવાથી ચહેરાની નિખાર તો થાય જ છે સાથે જ તમને ત્વચા સંબંધિત આ સમસ્યાઓથી પણ રાહત મળે છે.

3- ચહેરાને ઠંડક મળે છે

ચહેરા પર બરફ લગાવવાથી ન માત્ર ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે પરંતુ તમારા ચહેરાને ઠંડક પણ મળે છે. હા, જો તમને લાગે છે કે તમારો ચહેરો સામાન્ય દિવસો કરતા વધુ ગરમ થઈ રહ્યો છે, તો તમે ઠંડક મેળવવા માટે ચહેરા પર બરફ ઘસી શકો છો, જે તમારા ચહેરાને ઠંડક આપવાનું કામ કરશે.

4-આંખનો સોજો ઠીક કરે છે

લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી અથવા લાંબા સમય સુધી જાગવાથી ઘણીવાર આંખોની નીચે સોજો આવી જાય છે. જો કે આંખોની નીચેનો સોજો ઓછો કરવાના ઘણા ઉપાયો છે, પરંતુ આંખોની નીચે બરફ લગાવવાથી આ સમસ્યાને ઝડપથી દૂર કરવામાં મદદ મળે છે. તેથી, આ સમસ્યામાં બરફ તમારા માટે ખૂબ કામ આવી શકે છે.

5-રક્ત પરિભ્રમણ સારું રહે છે

ચહેરા પર બરફ લગાવવાથી રોમછિદ્રો ખોલવામાં મદદ મળે છે, પરંતુ બરફ લગાવવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ પણ બરાબર થાય છે. જો ચહેરાનું રક્ત પરિભ્રમણ બરાબર હશે તો તમારા ચહેરા પર કુદરતી ચમક પણ જળવાઈ રહેશે. આ પદ્ધતિ તમારા ચહેરાને ચમકદાર અને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Child care: જાણો એવા ચિહ્નો જે સૂચવે છે કે તમારું બાળક યોગ્ય રીતે વિકાસ કરી રહ્યું છે કે નહીં

Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">