Beauty Tips : ચહેરાની ખોવાયેલી રોનક પાછી મેળવવા કામ લાગશે બરફના ટુકડા

ચહેરા પર બરફ (Ice ) લગાવવાથી રોમછિદ્રો ખોલવામાં મદદ મળે છે, પરંતુ બરફ લગાવવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ પણ બરાબર થાય છે. જો ચહેરાનું રક્ત પરિભ્રમણ બરાબર હશે તો તમારા ચહેરા પર કુદરતી ચમક પણ જળવાઈ રહેશે.

Beauty Tips : ચહેરાની ખોવાયેલી રોનક પાછી મેળવવા કામ લાગશે બરફના ટુકડા
Ice Cube Beauty Hacks (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 8:15 AM

ઉનાળાના (Summer ) આગમન સાથે જ ચહેરાની સુંદરતા (Beauty ) બગડવા લાગે છે, તેની પાછળનું કારણ છે પરસેવો અને પ્રદૂષણ, જે આપણા ચહેરાની કુદરતી (Natural ) સુંદરતા છીનવી લેવાનું કામ કરે છે. જો કે, એવી ઘણી પદ્ધતિઓ છે જે તમને તમારા ચહેરાની ચમક જાળવી રાખવામાં મદદ કરી શકે છે, જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હોવ તો. ઉનાળામાં, ચહેરાની ચમક ઘણી વાર ફિક્કી પડી જાય છે, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા તમારા ચહેરાને ફરીથી સુંદર બનાવી શકો છો. આ આર્ટીકલમાં અમે તમને એવા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાને કોઈપણ ભેળસેળ વગર ચમકદાર અને ગોરી બનાવી શકે છે. આ પદ્ધતિ બીજી કોઈ નહીં પણ તમારા ફ્રિજમાં રાખવામાં આવેલ બરફ છે, જેનો ઉપયોગ તમે તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે કરી શકો છો.

ચહેરા પર બરફ ઘસવાના ફાયદા

1- ચહેરો સ્વચ્છ કરે છે

જો તમે ક્યાંક બહારથી આવ્યા છો અને તમને લાગે છે કે તમારો ચહેરો પહેલા કરતા થોડો બદસૂરત લાગે છે તો તમે ફ્રીજમાં રાખેલા બરફનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત બરફનો ટુકડો લઈને તમારા ચહેરા પર હળવા હાથે ઘસવાનું છે. 10-15 મિનિટ સુધી આમ કરવાથી તમારો ચહેરો પહેલા કરતા સ્વચ્છ અને ચમકદાર બની જશે.

2-પિમ્પલ્સ દૂર કરે છે

જો તમે તમારા ચહેરા પર રહેલા પિમ્પલ્સ, ડાઘ-ધબ્બાથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. જી હાં, નિયમિતપણે ચહેરા પર બરફ લગાવવાથી ચહેરાની નિખાર તો થાય જ છે સાથે જ તમને ત્વચા સંબંધિત આ સમસ્યાઓથી પણ રાહત મળે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

3- ચહેરાને ઠંડક મળે છે

ચહેરા પર બરફ લગાવવાથી ન માત્ર ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે પરંતુ તમારા ચહેરાને ઠંડક પણ મળે છે. હા, જો તમને લાગે છે કે તમારો ચહેરો સામાન્ય દિવસો કરતા વધુ ગરમ થઈ રહ્યો છે, તો તમે ઠંડક મેળવવા માટે ચહેરા પર બરફ ઘસી શકો છો, જે તમારા ચહેરાને ઠંડક આપવાનું કામ કરશે.

4-આંખનો સોજો ઠીક કરે છે

લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી અથવા લાંબા સમય સુધી જાગવાથી ઘણીવાર આંખોની નીચે સોજો આવી જાય છે. જો કે આંખોની નીચેનો સોજો ઓછો કરવાના ઘણા ઉપાયો છે, પરંતુ આંખોની નીચે બરફ લગાવવાથી આ સમસ્યાને ઝડપથી દૂર કરવામાં મદદ મળે છે. તેથી, આ સમસ્યામાં બરફ તમારા માટે ખૂબ કામ આવી શકે છે.

5-રક્ત પરિભ્રમણ સારું રહે છે

ચહેરા પર બરફ લગાવવાથી રોમછિદ્રો ખોલવામાં મદદ મળે છે, પરંતુ બરફ લગાવવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ પણ બરાબર થાય છે. જો ચહેરાનું રક્ત પરિભ્રમણ બરાબર હશે તો તમારા ચહેરા પર કુદરતી ચમક પણ જળવાઈ રહેશે. આ પદ્ધતિ તમારા ચહેરાને ચમકદાર અને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Child care: જાણો એવા ચિહ્નો જે સૂચવે છે કે તમારું બાળક યોગ્ય રીતે વિકાસ કરી રહ્યું છે કે નહીં

Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">