AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રેશન દુકાનદારો પરેશાન, બેંકનું સર્વર બંધ થતાં ચલણના નાણાં ભરવામાં મુશ્કેલી

ગુજરાતના રેશન દુકાનદારોએ પુરવઠા વિભાગમા રજુઆતો કરતા ઓનલાઈન નાણાં ભરી દેવાની સુચના આપી ને હાથ અધ્ધર કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા  છે. જ્યારે ICICI ની વિવિધ શાખા ઓમા રેશનદુકાનદારો એ રજુઆતો કરતા આ અંગે નો ઈમેઈલ પુરવઠા વિભાગને કરી દેવાયો છે

Ahmedabad:  રેશન દુકાનદારો પરેશાન, બેંકનું સર્વર બંધ થતાં ચલણના નાણાં ભરવામાં મુશ્કેલી
Ahmedabad Ration Shop (File Photo)
Darshal Raval
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:33 PM
Share

ગુજરાત(Gujarat) રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ હસ્તકની રેશન દુકાનદારો(Ration shopkeepers)  પરેશાનીમાં  મુકાયા છે. જેમાં  દુકાનદારોનો આક્ષેપ છે કે પરમિટ મુજબ નાણાં  ભરવાના ચલણની(Chalan) રકમ રોકડ ભરવા માટે ત્રણ દિવસ થી તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. કેમ કે eazypay ICICI બેંક ની સિસ્ટમ મા ટેકનિકલ એરર સર્જાઈ છે. જેના કારણે ત્રણ દિવસ થી આવતા રેશનદુકાન દારો ચલણના નાણાં ભરવાથી વંચિત થયા છે. એપ્રિલ  માસના તેમજ મે-2022  ના અનાજ ના પુરવઠાની પરમિટ મુજબ ચલણના નાણાં રોકડા ભરી ના શકાતા પરેશાની સર્જાઈ છે. કેમ કે અમદાવાદ ભર ની તમામ ICICI બેંક ની શાખાઓમા ટેકનિકલ એરર આવી છે. જેના કારણે રેશનદુકાનદારો હાલાકીમા મુકાયા છે.

જે અંગે દુકાનદારોએ પુરવઠા વિભાગમા રજુઆતો કરતા ઓનલાઈન નાણાં ભરી દેવાની સુચના આપી ને હાથ અધ્ધર કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા  છે. જ્યારે ICICI ની વિવિધ શાખા ઓમા રેશનદુકાનદારો એ રજુઆતો કરતા આ અંગે નો ઈમેઈલ પુરવઠા વિભાગને કરી દેવાયો છે. જે મેઇલમાં જણાવાયું કે સર્વર ચાલુ થાય તે માટે બેંકની શાખાઓમા તપાસ કરતા રહેવું તેવા જવાબો આપ્યો છે.

એક તરફ ચાલુ એપ્રિલ માસનો બાકી રેશન જથ્થો ઉપાડવાનો બાકી છે. ત્યારે મે -2022  નો રેશનજથ્થો પણ તાકીદે બેંકમા ચલણો ભરીને રેશન જથ્થો રેશન દુકાનમા 1 લી મે થી જાહેર વિતરણ વ્યવસ્થા શરુ કરી શકાય તે માટે દબાણ કરાઈ રહ્યું છે. ત્યાં બીજી તરફ બેંક ની શાખા ઓમા સર્વર બંધ હાલતમા  રેશન દુકાનદારો ભર ગરમીમાં ધક્કા ખાવા પર મજબુર બન્યા છે. આ ઉપરાંત રેશન દુકાનદારો પોતાની રજૂઆત કોને કરે તે અંગે હાલ તો મૂંઝવણમાં છે.

આ પણ વાંચો

અમદાવાદ શહેરમાં રેશન દુકાનદારોને અનુભવાતી પરેશાનીના પગલે રેશન કાર્ડની દુકાનેથી અનાજ મેળવનારા સામાન્ય લોકો પણ પરેશાન થાય તેવી શકયતા છે. કેમ કે જો સમયસર નાણાં બેંકમાં જમા કરવામાં નહિ આવે તો રેશન દુકાનદારોને અનાજનો જથ્થો પણ સમયસર નહિ મળે. તેમજ તેના લીધે આગામી મહિને અનાજ લેવા આવતા લોકોને પણ ધક્કા ખાવાનો વારો આવશે. જેના પગલે દુકાનદારોનો આ પ્રશ્ન સમયસર ઉકેલવામાં આવશે તો રેશનનું અનાજ મેળવતા લોકોને પણ સમયસર અનાજ મળી શકશે.

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">