Ahmedabad: હાઇકોર્ટ સમક્ષ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ પર સુનાવણી, બંને પક્ષ સમાધાન કરવા સંમત

ગઈકાલે કોર્ટના સૂચન બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના વકીલ વચ્ચે યોજાયેલી બેઠક હકારાત્મક વાતાવરણમાં થઈ હોવાનું નિવેદન કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે.

Ahmedabad: હાઇકોર્ટ સમક્ષ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ પર સુનાવણી, બંને પક્ષ સમાધાન કરવા સંમત
Haridham Sokhada Swaminarayan temple dispute
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 2:29 PM

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ  હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે આજે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી. ગઈકાલે કોર્ટના સૂચન બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના વકીલ વચ્ચે યોજાયેલી બેઠક હકારાત્મક વાતાવરણમાં થઈ હોવાનું નિવેદન કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના સિનિયર એડવોકેટ સુધીર નાણાંવટી તરફથી નિવેદન કરવામાં આવ્યું કે ‘સમાધાનની ફોર્મ્યુલાની શક્યતાઓ અંગે એક કલાક ચર્ચા થઈ. હવે તેઓ પ્રેમ સ્વામીને સોખડા જઈ મળી સમાધાન બાબતે ચર્ચા કરશે, પ્રેમ સ્વરૂપ સ્વામી સમાધાન માટે તૈયાર છે કે કેમ અને કયા પ્રકારના સમાધાનની ચર્ચા કરવા માંગે છે તે બાબતની જાણ આવતીકાલે સાંજે અરજદારના વકીલને કરશે’.

સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ બાબતે રહી કે ફરિયાદીના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય દ્વારા સોખડા મંદિરમાં એક સાધુના મોત અંગેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. જેમાં વકીલે રજૂઆત કરી છે કે ‘સંસ્થાનું વાતાવરણ એ પ્રકારનું છે કે જ્યાં લોકો ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે. જે સાધુનું મોત થયું તેઓ આગલા દિવસે સાંજે જ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, તેવો દાવો કર્યો’. આ બાબતે સામા પક્ષે પ્રેમ સ્વામીના સિનિયર વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વાતનો ઉલ્લેખ તેઓ વ્યક્તિગત રીતે કરી શકતા હોત. તેઓ સમાધાનની ફોર્મ્યુલા અંગે ચર્ચા કરી રહ્યા છે, તેવામાં આ બાબતનો ઉલ્લેખ કરવો તે યોગ્ય નથી’.

આ ઉપરાંત પ્રેમ સ્વામી વકીલ દ્વારા એ પણ રજૂઆત કરી કે, ‘હવે મામલો સમાધાન ફોર્મુલા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ અરજીનો નિકાલ થવો જોઈએ કારણકે કોર્ટના આદેશ પ્રમાણે સાધુઓ મુક્ત થઈ ચૂક્યા છે અને હવે સમાધાન માટે લાંબો સમય નહિ લાગે. કારણ કે આ અરજી પેન્ડિંગ રહે તો લટકતી તલવાર સાથે કોઈ નિર્ણય લેવાય, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે’. જોકે ફરિયાદીના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આ અરજી છે, ત્યાં સુધી તેમને ન્યાયની આશાનું કિરણ છે’. આ બાબતે હવે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ Surat: છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરેથી મેફેડ્રોન ડ્રગ્સ વેચતા શખસને ઝડપી લીધો

આ પણ વાંચોઃ Dahod: વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી જવાની ઘટનાના વિરોધમાં ગાંગરડી ગામ સજ્જડ બંધ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">