પ્રદુષિત કચરા સાથેના જહાજને અલંગમાં લાવવા સામે વિરોધ થતા, હવે જહાજને દુબઈમા ચોખ્ખુ કરાયા બાદ અલંગ લવાશે
ભાવનગરના અંલગ શીપ બ્રેકિંગ યાર્ડમાં પ્રદુષિત કચરા સાથેનુ જહાજ જે નાટ ભાંગવા માટે આવી રહ્યું હોવાના સમાચાર પ્રસરતા, આ જહાજને અલંગમાં ભાંગવા સામે ભારે વિરોધ થયો હતો. શીપ જે નાટ સામે વિરોધ ઉગ્ર બનતા, હાલ આ જહાજને ચોખ્ખુ કરવા માટે દુબઈ લઈ જવાશે. અને દુબઈમાં પ્રદુષિત કચરાનો નિકાલ કરીને ચોખ્ખુ કરાયા બાદ જ અલંગમાં ભાંગવા […]
ભાવનગરના અંલગ શીપ બ્રેકિંગ યાર્ડમાં પ્રદુષિત કચરા સાથેનુ જહાજ જે નાટ ભાંગવા માટે આવી રહ્યું હોવાના સમાચાર પ્રસરતા, આ જહાજને અલંગમાં ભાંગવા સામે ભારે વિરોધ થયો હતો. શીપ જે નાટ સામે વિરોધ ઉગ્ર બનતા, હાલ આ જહાજને ચોખ્ખુ કરવા માટે દુબઈ લઈ જવાશે. અને દુબઈમાં પ્રદુષિત કચરાનો નિકાલ કરીને ચોખ્ખુ કરાયા બાદ જ અલંગમાં ભાંગવા માટે લવાશે.
અગાઉ આ જહાજ જે નાટ 14મી ઓક્ટોબરના રોજ ભાવનગરના અલંગ ખાતે આવવાનું હતું. જે નાટ શીપમાં 1500 ટન મરક્યુરી, 1000 ટન સ્લોપ ઓઈલ, 60 ટન સલ્જ ઓઈલ અને 500 ટન બળી ગયેલ ઓઈલનો જથ્થો છે. આ તમામ દરિયાઈ સૃષ્ટિ માટે અતિ ધાતક માનવામાં આવી રહ્યુ છે. આ શીટ જે નાટને અલંગમાં ભાંગવા સામે વિરોધ થયા બાદ જે નાટના સંચાલકો દ્વારા હવે આ શીપ અંલગમાં લાવવાને બદલે, દુબઇના ફ્યુજીરાહ બંદર પર ડ્રાય ડોકિંગ માટે જશે અને જહાજ ચોખ્ખું કરાયા બાદ અલંગ લવાશે. રાયા બાદ અલંગ આવવાની શક્યતાઓ.
આ પણ વાંચોઃગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો