AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth breathing : મો વડે શ્વાસ લેવાથી ફેફસાંને અસર થાય ? આજે જ જાણી લો

નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નાક હવાને ફિલ્ટર, ગરમ અને ભેજવાળી કરીને ફેફસાં સુધી પહોંચાડે છે. ત્યારે તમને ચોક્કસ પ્રશ્ન થશે કે, શું મો વડે શ્વાસ લેવાથી કોઇ નુકસાન થાય ખરું ?

Mouth breathing : મો વડે શ્વાસ લેવાથી ફેફસાંને અસર થાય ? આજે જ જાણી લો
| Updated on: Nov 08, 2025 | 8:01 PM
Share

કેટલાક લોકો ક્યારેક નાકની બદલે મોં દ્વારા શ્વાસ લે છે. સામાન્ય રીતે આપણું શરીર નાક દ્વારા શ્વાસ લેવા માટે રચાયેલ છે, કારણ કે નાક હવામાં રહેલા ધૂળકણો, જીવાણુઓ અને અન્ય કણોને ફિલ્ટર કરે છે. પણ જ્યારે નાક બંધ હોય, શરદી કે એલર્જી હોય, અથવા સાઇનસમાં અવરોધ થાય ત્યારે લોકો મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે. શરૂઆતમાં આ શરીરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટેનું એક સ્વાભાવિક પ્રતિભાવ છે, પરંતુ જો આ આદત વારંવાર કે લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજિત કુમાર કહે છે કે મોં દ્વારા શ્વાસ લેવાની આદત ફેફસાં પર નકારાત્મક અસર કરી શકે છે. નાક માત્ર હવામાંથી ઓક્સિજન લેવાનું સાધન નથી, પણ તે કુદરતી ફિલ્ટર તરીકે કાર્ય કરે છે — હવામાં રહેલી ધૂળને દૂર કરે છે, હવાને ભેજયુક્ત અને ગરમ બનાવીને ફેફસાં સુધી પહોંચાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ મોં દ્વારા શ્વાસ લે છે, ત્યારે આ પ્રક્રિયા અવરોધિત થાય છે અને અશોધિત, ઠંડી અને શુષ્ક હવા સીધા ફેફસાંમાં પ્રવેશે છે.

આ કારણથી વાયુમાર્ગમાં ચીડ અને બળતરા વધે છે, જેના કારણે સતત ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઊંઘમાં ખલેલ અને વારંવાર થતો શ્વાસનો ચેપ જોવા મળે છે. ખાસ કરીને અસ્થમા અથવા એલર્જી ધરાવતા લોકો માટે આ સ્થિતિ વધુ નુકસાનકારક બની શકે છે. મોં દ્વારા શ્વાસ લેતા લોકોમાં સવારે ગળું સૂકાઈ જવું, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય બને છે.

તેને કેવી રીતે રોકી શકાય?

  • જો નાક બંધ રહેતું હોય તો ગરમ પાણીની વરાળ લો, જેથી નાક ખુલ્લું રહે.

  • સૂતી વખતે ઓશીકાને થોડું ઉંચું રાખો, જેથી શ્વાસ લેવું સરળ બને.

  • એલર્જી, સાઇનસ કે અન્ય શ્વાસ સંબંધિત તકલીફ હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.

  • દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાનું ચાલુ રાખો, જેથી ગળું સૂકાય નહીં.

નાક દ્વારા શ્વાસ લેવું ફક્ત સ્વાભાવિક જ નહીં, પણ શરીર માટે વધુ સુરક્ષિત પણ છે. તેથી જો તમને વારંવાર મોં દ્વારા શ્વાસ લેવાની આદત હોય, તો તેના કારણો શોધીને યોગ્ય સારવાર લેવી ખૂબ જરૂરી છે.

શિયાળામાં દરરોજ શક્કરિયા ખાવાના ચોંકાવનારા ફાયદા તમે નહીં જાણતા હોવ..

અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
g clip-path="url(#clip0_868_265)">