AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાન ક્રેશમાં બચેલા યાત્રીઓની દર્દનાક કહાણી, 71 દિવસમાં જીવતા રહેવા ખાધુ માણસનું માંસ

આ ઘટનાની કહાણી સાંભળીને તમારા રુવાંટા ઊભા થઈ શકે છે. પ્લેન ક્રેશ ( Plane Crash) થવાને કારણે યાત્રીઓએ જીવનનો સૌથી ખરાબ અને ક્યારેય ન ભૂલી શકાય તેવા અનુભવમાંથી પસાર થવુ પડયુ હતુ.

વિમાન ક્રેશમાં બચેલા યાત્રીઓની દર્દનાક કહાણી, 71 દિવસમાં જીવતા રહેવા ખાધુ માણસનું માંસ
Plane crashImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 9:53 PM
Share

Knowledge news : દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, તે કુદરતી આફત અને મોત સામે નબળો પડી જ જાય છે. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જ્યાં માણસોને જીવતા રહેવા માટે સંઘર્ષ કરતા કરતા ન કરવાના કામ કર્યા છે. આજથી લગભગ 50 વર્ષો પહેલા આવી જ એક ઘટના બની હતી. આ ઘટનાની કહાણી સાંભળીને તમારા રુવાંટા ઊભા થઈ શકે છે. પ્લેન ક્રેશ ( Plane Crash) થવાને કારણે યાત્રીઓએ જીવનનો સૌથી ખરાબ અને ક્યારેય ન ભૂલી શકાય તેવા અનુભવમાંથી પસાર થવુ પડયુ હતુ.

13 ઓક્ટોબર, 1972ના રોજ ઉરુગ્વેની રગ્બી ટીમ એક મેચ રમવા માટે ચિલી દેશ જઈ રહી હતી. આ મેચ માટે તેઓ 12 ઓક્ટોબરને પોતાના દેશથી પ્લેનમાં નીકળ્યા હતા. તે પ્લેનમાં 19 પ્લેયર, ટીમના માલિક. મેનેજર અને 5 પ્લેનના ફ્રે મેમ્બર્સ હતા. આ પ્લેન ઉરુગ્વેના એરફોર્સનું હતુ. ઉડાન દરમિયાન વાતાવરણ ખરાબ થતા આ પ્લેનને અર્જેટીનામાં ઉતારવુ પડયુ. બીજા દિવસે વાતાવરણ સારુ થતા આ પ્લેન ફરી ચિલી તરફ જવા રવાના થયુ.

પહાડની ટોચ સાથે અથડાયુ પ્લેન

આ પ્લેન એક પહાડ પરથી પસાર થઈ રહ્યુ હતુ. આ પ્લેનના પાયલટને તેના પરથી 29 વાર પસાર થવાનો અનુભવ હતો પણ ત્યાં તેમને બરફનું તોફાન નડ્યુ. અચાનક વિમાન એન્ડીઝ પહાડના ટોચ સાથે અથડાય છે. જેને કારણે પ્લેનનો પાછળનો ભાગ તૂટે છે. તેના કારણે 2 ક્રૂ મેમ્બર અને 3 યાત્રીઓ નીચે પડી જાય છે. જેના કારણે 45માંથી 40 લોકો પ્લેનમાં બચ્યા હતા. વિમાન જમીન પર 200 મીટર સુધી ઘસડાયુ અને 2 ભાગોમાં તૂટી ગયુ. તેના કારણે પાયલટ સહિત 12 લોકોના મોત થયા. ત્યારબાદ તેમાં 35 લોકો જીવતા બચ્યા. બીજા દિવસે અન્ય 5 લોકોના મોત થયા.

ખરાબ પરિસ્થિતિમાં સર્ચ ઓપરેશન

બીજા દિવસે 4 વિમાન આ પ્લેન સર્ચ ઓપરેશન માટે નીકળ્યા. 8 દિવસના સર્ચ ઓપરેશનમાં આ પ્લેન સુધી પહોંચવા માટે પ્રયાસો થયા પણ સફળતા મળી નહીં. ખરાબ વાતાવરણને કારણે તેમાંથી કોઈના પણ જીવતા રહેવાની સંભાવના ન હતી. તેથી સરકારે ગરમીના સમયમાં આ સર્ચ ઓપરેશન કરીને યાત્રીઓના મૃતદેહ કાઢવા આદેશ આપ્યો.

ખાવાનું ખત્મ થયુ

ધીરે ધીરે સ્થિતિ વધારે ખરાબ થઈ હતી. લોકોના માટે ખાવાનું પણ ન બચ્યુ. તેઓ પ્લેનના સીટના લેધરના કવર ખાવાની ફરજ પડી. છેલ્લે 19 લોકો બચ્યા. આ લોકોએ બરફના કારણે થજી ગયેલા પોતાના મિત્રોના શરીરના માંસ ખાવાની ફરજ પડી હતી. આવી ખરાબ પરિસ્થિતિમાંથી તે બચેલા લોકોને પસાર થવુ પડયુ.

જીવ બચાવવા માટે 7 લોકો પ્લેનથી દૂર જઈને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ ચાલતા ચાલતા એક નદી કિનારે પહોંચ્યા. જ્યારે કેટલાક લોકોની મદદથી પોલીસને તેમના અંગે જાણ કરવામાં આવી. તેમને બચાવવા માટે ત્રણ હેલિકોપ્ટર મોકવામાં આવ્યા. 7 ગંભીર લોકોને પહેલા એક ચોપરમાં લઈ જવામાં આવ્યા અને બાકીના બચેલા લોકોને સવારે લઈ જવામાં આવ્યા. આમ, તેઓને જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થવુ પડયુ.

ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">