રાહુલ ગાંધી પાસેથી છીનવાયો એ બંગલો કેવો હતો, જાણો કેવી રીતે મળે છે સરકારી આવાસ, કેવા હોય છે સરકારી રહેઠાણ મેળવવાના નિયમો

|

Apr 09, 2023 | 5:54 PM

નિયમ પ્રમાણે જ્યારે સાંસદનું સભ્યપદ છીનવાઈ જાય છે ત્યારે તમામ સુવિધાઓ પણ છીનવાઈ જાય છે. ભથ્થાં, બંગલો, કાર બધું.પરંતુ બંગલો મળવો અને પાછો લઇ લેવા તેના અમુક નિયમો છે, આજ આપણે આજ નિયમોની ચર્ચા કરીશું.

રાહુલ ગાંધી પાસેથી છીનવાયો એ બંગલો કેવો હતો, જાણો કેવી રીતે મળે છે સરકારી આવાસ, કેવા હોય છે સરકારી રહેઠાણ મેળવવાના નિયમો
Know how a political leader can become eligible for the central government's residential bunglow

Follow us on

રાહુલને માનહાનિના કેસમાં સજા થઈ હતી. જેના પગલે, સાંસદપદ પણ જતુ રહ્યું, અને 27 માર્ચ, 2023 ના રોજ, લોકસભાની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને તેમનુ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ મોકલી. તેમણે એ પણ સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધી અત્યાર સુધી 12, તુઘલક લેન, નવી દિલ્હી ખાતે રહે છે. આ બંગલો તેમને વર્ષ 2004માં ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેઓ અમેઠી લોકસભામાંથી સાંસદ તરીકે પહેલીવાર ગૃહમાં આવ્યા. તેઓ અત્યાર સુધીમાં 4 વખત સાંસદ રહી ચૂક્યા છે. આ બંગલો લગભગ 19 વર્ષથી તેમનું સત્તાવાર નિવાસસ્થાન છે.

નિયમ પ્રમાણે જ્યારે સાંસદનું સભ્યપદ છીનવાઈ જાય છે ત્યારે તમામ સુવિધાઓ પણ છીનવાઈ જાય છે. ભથ્થાં, બંગલો, કાર બધું. પરંતુ બંગલો મળવો અને પાછો લઇ લેવા તેના અમુક નિયમો છે, આજે આપણે આ જ નિયમોની વાત કરીશું.

બંગલો કેવી રીતે મળે ?

વર્ષ 1922માં ડિરેક્ટોરેટ ઓફ સ્ટેટ્સ (DoE) નામનો વિભાગ બનાવવામાં આવ્યો હતો. તે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. આ વિભાગ માત્ર સરકારી બંગલા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભારત સરકારની તમામ મિલકતોના સંચાલન અને વહીવટનું ધ્યાન રાખે છે. જે અધિનિયમ હેઠળ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ડિરેક્ટોરેટ બંગલા ફાળવે છે તે જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન એક્ટ છે, જેને ટૂંકમાં GPRA એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદામાં દર્શાવેલ શરતો અને નિયમો અનુસાર સરકારી લોકોને દિલ્હી અને બહારના અનેક સ્થળોએ બંગલા મળે છે.બંગલાની ફાળવી વખતે હોદો અને પગાર જેવી બાબતો જોવામાં આવે છે. જો કે, DoE સિવાય, લોકસભા અને રાજ્યસભાની હાઉસિંગ કમિટીઓ પણ સાંસદોને ઘરો આપવાની પ્રક્રિયામાં ભૂમિકા ભજવે છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

બંગલાઓની કેટેગરી શું છે?

દિલ્હીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, સાંસદો અને અમલદારોને આપવામાં આવેલા સરકારી આવાસ લ્યુટિયન ઝોન હેઠળ આવે છે. હાલમાં, લ્યુટિયન બંગલો ઝોન 28 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. લ્યુટિયન ઝોનમાં 1,000 થી વધુ બંગલા છે, જેમાંથી 65 ખાનગી છે. બાકીના બંગલાઓમાં મોટા નેતાઓ, અધિકારીઓ, ન્યાયાધીશો અને આર્મી ઓફિસરો રહે છે. ટાઇપ IV થી ટાઇપ VIII સુધીના આવાસ સાંસદો, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓને આપવામાં આવે છે. પ્રથમ વખત સાંસદ બનનારને ટાઇપ IV બંગલો મળે છે. ટાઇપ VIII બંગલો એકથી વધુ વખત ચૂંટાયેલા સાંસદોને આપવામાં આવે છે. ટાઇપ VIII બંગલો ઉચ્ચતમ શ્રેણીનો છે. આ બંગલા સામાન્ય રીતે કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, ભૂતપૂર્વ વડા પ્રધાનો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને નાણાં પંચના અધ્યક્ષને આપવામાં આવે છે.

શ્રેણીના આધારે, આ બંગલામાં રૂમની સંખ્યા અને સુવિધાઓનું સ્તર છે

શું સુવિધાઓ ઉપલબ્ધ છે?

લોકસભા પૂલમાં કુલ 517 રહેણાંક બેઠકો છે. તેમાં 159 બંગલા, 37 ટ્વીન ફ્લેટ, 193 સિંગલ ફ્લેટ, બહુમાળી ઈમારતોમાં 96 ફ્લેટ , અને 32 યનિટ્સ સિંગ્યુલર રેગ્યુલર રહેઠાણનો સમાવેશ થાય છે. આ તમામ રહેઠાણો નોર્થ એવન્યુ, સાઉથ એવન્યુ, મીના બાગ, બિશમ્બર દાસ માર્ગ, બાબા ખરક સિંહ માર્ગ, તિલક લેન અને મધ્ય દિલ્હીમાં વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં છે.

ટાઈપ 8 બંગલો બંગલાઓમાં સૌથી ઉચ્ચ વર્ગનો ગણાય છે. તે લગભગ ત્રણ એકર (થોડું વધુ કે ઓછું) છે. આ બંગલોની મુખ્ય ઇમારતમાં 8 રૂમ (5 શયનખંડ, 1 હોલ, 1 મોટો ડાઇનિંગ રૂમ અને એક અભ્યાસ ખંડ) છે. આ સિવાય કેમ્પસમાં એક લિવિંગ રૂમ અને પાછળની બાજુએ (કેમ્પસની અંદર) ચાકર માટેનું ક્વાર્ટર પણ છે. સામાન્ય રીતે ટાઈપ 8 બંગલો કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, ભૂતપૂર્વ વડા પ્રધાનો/રાષ્ટ્રપતિઓ/ (અથવા તેમના હયાત જીવનસાથી) અને સૌથી વરિષ્ઠ રાજકારણીઓને ફાળવવામાં આવે છે. ટાઇપ 8 બંગલા જનપથ, ત્યાગરાજ માર્ગ, કૃષ્ણ મેનન માર્ગ, અકબર રોડ, સફદરજંગ રોડ, મોતીલાલ નેહરુ માર્ગ અને તુઘલક રોડ પર છે.

 

 

ટાઈપ 7 બંગલોનો વિસ્તાર દોઢ એકર વચ્ચે છે. ટાઇપ 8 બંગલોની સરખામણીમાં તેમાં એક બેડરૂમ ઓછો (4 બેડરૂમ) છે. આવા બંગલા અશોકા રોડ, લોધી એસ્ટેટ, કુશક રોડ, કેનિંગ લેન, તુગલક લેન વગેરેમાં છે. આ પ્રકારના બંગલા મોટાભાગે રાજ્યકક્ષાના મંત્રીઓ, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશો, ઓછામાં ઓછા પાંચ વખત સાંસદ રહી ચૂકેલા લોકોને ફાળવવામાં આવે છે. રાહુલ ગાંધી જે તુઘલક લેન બંગલામાં રહે છે તે માત્ર ટાઈપ 7 છે.

જે લોકો પહેલીવાર સાંસદ બને છે તેમને સામાન્ય રીતે ટાઇપ-5 આવાસ મળે છે. જો કે, નવી શરતો અનુસાર, તેઓને ટાઇપ-6 આવાસ પણ મળી શકશે. આ માટે તેમણે કેટલીક શરતો નક્કી કરવી પડશે. જેમાં રાજ્ય સરકારમાં પ્રથમ ધારાસભ્ય કે મંત્રી બનવા માટેની શરતોનો સમાવેશ થાય છે. ટાઈપ-5માં A, B, C, D- ચાર કેટેગરી પણ છે. દરેક કેટેગરીમાં પ્રથમ કરતાં વધુ એક બેડરૂમ છે.

સાંસદોને બંગલામાં મફત વીજળી અને પાણી મળે છે. જાળવણી ભથ્થું પણ આપવામાં આવે છે. જો ખર્ચ 30 હજારથી વધુ હોય, તો તે ભંડોળ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે. ગૃહ સમિતિ 30 હજાર સુધીના ખર્ચને મંજૂરી આપી શકે છે.

બંગલો ખાલી કરાવવાના નિયમો શું છે?

બંગલો ખાલી કરાવવાનો પણ કાયદો છે. સાર્વજનિક જગ્યાઓ (અનધિકૃત કબજેદાર અધિનિયમની નિકાલ). સાદી ભાષામાં કહીએ તો જાહેર સ્થળોએથી અનધિકૃત લોકોને બહાર કાઢવાનો કાયદો. આ નિયમ હેઠળ,

સામાન્ય રીતે, નોટિસ આપ્યાની તારીખથી 30 દિવસની અંદર, બંગલો ખાલી કરવાનું કહેવામાં આવે છે.

જો વ્યક્તિ બંગલો ખાલી નહીં કરે તેણે 3 દિવસમાં નોટિસનો જવાબ આપવો પડશે. અને તે જણાવવું પડશે કે તેની વિરૂદ્ધ બંગલો ખાલી કરવાનો આદેશ કેમ પસાર કરવામાં ન આવે.

વિવાદના કિસ્સામાં, કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવે છે. અને ‘ડિરેક્ટોરેટ ઓફ સ્ટેટ્સ’ મામલાની સુનાવણી કરે છે.

પરંતુ જો નોટિસ બાદ પણ જવાબ નહીં આપવામાં આવે તો બંગલો ખાલી કરાવવા માટે બળપ્રયોગ પણ થઈ શકે છે. વર્ષ 2019માં આ કાયદામાં એક સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ બંગલો ખાલી ન કરવા પર 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

Published On - 12:45 pm, Sun, 9 April 23

Next Article