જો તમે તમારી બચતનું રોકાણ(Investment)કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (Saving Schemes) સારો વિકલ્પ બની શકે છે. આ યોજનાઓમાં તમને સારું વળતર મળે છે.આ ઉપરાંત તેમાં રોકાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર 5 લાખ સુધીની રકમ પરત મળે છે પરંતુ પોસ્ટ ઓફિસ(Post Office)માં તમે સુરક્ષિત છો. તમે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account) નો સમાવેશ થાય છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં હાલમાં વ્યક્તિગત અને જોઈન્ટ એકાઉન્ટ પર વાર્ષિક 4.0 ટકાનો વ્યાજ દર છે.
પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા રૂ.500નું રોકાણ જરૂરી છે.
પોસ્ટ ઓફિસમાં એક અથવા બે પુખ્ત વ્યક્તિ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત માતાપિતા સગીર અથવા નબળી માનસિક સ્થિતિ ધરાવતા વ્યક્તિના વાલી પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર પણ પોતાના નામે ખાતું ખોલાવી શકે છે.
આ પણ વાંચો : Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો પણ સોનાના ભંડારમાં 96 કરોડ ડોલરનો વધારો
આ પણ વાંચો : જો તમે નિવૃત્તિ પછી ટેન્શન ફ્રી રહેવા માંગતા હોય તો રોકાણના આ વિકલ્પો અપનાવો, ઘડપણમાં કોઈ સમસ્યા નહીં આવે
Published On - 9:40 am, Sat, 5 March 22